અંબાજી મંદિરમાં VIP દર્શન જેવા ફેક ન્યૂઝ મુદ્દે નિવેદન આપતી AAP સાળંગપુર હનુમાનજી વિવાદ મુદ્દે ચુપ કેમ?


  • Published By :
  • Published Date : 2023-09-01 19:17:43

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને  શક્તિપીઠ અંબાજીમાં હજારો શ્રધ્ધાળુંઓ મા અંબાના ચરણોમાં શીશ નમાવવા આવે છે. જો કે ગુજરાતના આ સુપ્રસિદ્ધિ યાત્રાધામમાં પણ VIP દર્શનનો મામલો ચર્ચામાં આવ્યો છે. ડાકોરની જેમ યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ VIP દર્શનની પ્રથા શરૂ થતાં હોબાળો થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી આ મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને  VIP દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. જો કે હવે આ મુદ્દે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિ વર્માએ ખુલાશો કર્યો છે તેમણે જણાવ્યું હતું કે, આ બે-ત્રણ દિવસથી અંબાજી મંદિરમાં VIP દર્શન માટે દાન સ્વરૂપે પૈસા સ્વીકારતા હોય એવી વાત જે છે એ મીડિયા સર્કલમાં ચાલી રહી છે, પરંતું મંદિર તંત્ર તરીકે અમે સંપૂર્ણ રીતે આનું ખંડન કરીએ છીએ. મંદિરમાં બધાને લોકતાંત્રિક રીતે દર્શન કરવાનો સમાન અવસર મળે છે. આજ સુધી કોઈપણ નીતિ નિયમમાં કોઈ પણ ચાર્જ લઈને અહીંયા દર્શનની વ્યવસ્થાઓ ઊભી કરવામાં નથી આવી.


શું કહ્યું હતું AAP પ્રદેશ મંત્રી કરસન બાપુએ?


આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે, અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવામાં આવ્યું છે. જે અનુસાર 5000 રૂપિયાની ચુકવણી કરીને ગર્ભ ગૃહમાં જઈને વીઆઈપી દર્શન કરી શકાશે. મંદિરમાં સમાનતા હંમેશા ટોચ પર હોય છે, ત્યાં કોઈ ગરીબ અને તવંગર હોતો નથી. મંદિર એક શ્રદ્ધાનું કેન્દ્ર છે, ધંધાનું યુનિટ નથી. અંબાજી મંદિરની સમિતિના આ નિર્ણયનો આમ આદમી પાર્ટી વિરોધ કરે છે. અને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે. તમારા નિર્ણયના કારણે દર્શનાર્થીઓને દ્વેષની લાગણી મંદિરની અંદર અનુભવવી પડે છે, જે બિલકુલ ન ચાલી શકે. તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે અમારે આવેદનપત્ર આપવા પડે એ સનાતન માટે યોગ્ય નથી અને આવા આવેદનપત્ર તમારા નિર્ણયની વિરુદ્ધ આપવા પડે એના માટે અમને મજબૂર ન કરો.


આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે ચુપ કેમ?


આજે સમગ્ર રાજ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. રાજ્યના તમામ મોટા ધર્મગુરૂઓ, સાધુ-સંતો અને મહંતો આ મામલે આકરા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હવે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કરસન બાપુ ભાદરકાએ અંબાજીમાં માતાજીના દર્શન કરવા માટે વીઆઈપી કલ્ચર શરૂ કરવા અંગે તથા  VIP દર્શન મુદ્દે વીડિયોના માધ્યમથી વિરોધ વ્યક્ત કર્યો છે. જો કે આમ આદમી પાર્ટી સાળંગપુર મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચુપ કેમ છે. કરસન બાપુ જ નહીં AAPના અન્ય કોઈ નેતાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી અને એકદમ ચુપકીદી સાધી છે. અંબાજી મંદિરમાં VIP દર્શન જેટલો જ મહત્વનો મુદ્દો સાળંગપુરમાં હનુમાનજી મંદિરનો વિવાદ પણ છે. જો કે આમ આદમી પાર્ટીના નેતાઓના ડબલ સ્ટાન્ડર્ડ કેમ છે તે સમજી શકાતું નથી.



અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.