સાળંગપુર હનુમાનજી મંદિરના વિવાદ મામલે લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ ઝંપલાવ્યું, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-08-31 22:16:12

રાજ્યના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે ભીંતચિત્રો કંડારવામાં આવ્યા છે તેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા છે તો અન્ય એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા બતાવવામાં આવ્યા છે. હનુમાનના આ પ્રકારનાં શિલ્પચિત્રોના કારણે  હિંદુ ધર્મના સાધુ-સંતોએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. હવે આ મામલે  જાણીતા લોક સાહિત્ય કલાકારોએ પણ ઝંપલાવ્યું છે. લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને દેવરાજ ગઢવીએ પણ વીડિયોના માધ્યમથી તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે.


શું કહ્યું રાજભા ગઢવીએ?


 લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું પણ કાર્યક્રમમાં ઘણું બધું કહેતો આવું છું.  કેટલાક લોકોએ આપણા સનાતન ધર્મ પર ધૂળ ઉડાડવાની કોશિશ કરી છે.  આખી દુનિયામાં ઘણા બધા મહાન સંતો થઈ ગયા તેમને પણ વંદન છે.  કહેવાનો અર્થએ છે કે હવે આપણે જાગવું પડશે. ભીંતચિત્રોને હટાવવા પડશે માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કંઈ થવાનું નથી. હનુમાનજી શિવનું જ એક રૂપ છે. ધર્મ માટે આપણે ક્યાંય નહી કરીએ. આપણને કોઈ નહી બચાવી શકે. આપણા છોકરા મોજ કરે, વેબ સીરીઝો જોવે, ડ્રગ્સ લે, અને બીજા બધા ધર્મને મજબૂત બનાવતા જાય છે.


હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ નહીં- દેવરાજ ગઢવી


સાળંગપુર વિવાદને લઈ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવીએ પણ નિવેદન આપ્યું છે કે, "સ્વામીનારાયણ સંપ્રદાયનાં અનેક વિવાદો સામે આવ્યા છે. આ લોકોને આવા વિવાદ કરવામાં શું આનંદ આવે છે?  હનુમાનજી રામ ભગવાન સિવાય કોઈનાં દાસ ન હોઈ શકે.  લોકોનાં દુઃખ હરનારને તમે દાસ બતાવો તે યોગ્ય નથી. સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા તમામને મારી અપીલ છે કે, તમામ લોકોએ સૌથી પહેલા આપણે હિન્દુ થાવું પડશે. અહીંયાથી પાછું વળવું પડશે નહીતર બજારમાં પણ નહી નીકળી શકો"




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.