પહેલવાનોના આંદોલનને મોટો ઝટકો, સાક્ષી મલિકે આંદોલન છોડ્યું, જો કે સાક્ષી મલિકે સમાચારને અફવા ગણાવ્યા


  • Published By :
  • Published Date : 2023-06-05 17:19:00


રેસલર સાક્ષી મલિકે કુસ્તીબાજોના આંદોલનથી ખુદને અલગ કરી લીધી છે. આટલું જ નહીં તે રેલ્વેમાં પોતાની નોકરી પર પરત ફરી છે. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો માંડ્યો હતો. આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પણ કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ સામે ધરણા કર્યા હતા. 


પહેલવાનોએ અમિત શાહ સાથે કરી હતી મુલાકાત 


આ પહેલા શનિવારે જ કુસ્તીબાજોએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. કુસ્તીબાજ સાક્ષી મલિકના પતિ સત્યવ્રત કડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ  મીટિંગની પુષ્ટિ કરી હતી. આ બેઠકમાં તેઓ પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કહ્યું હતું કે બેઠકમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણની ધરપકડ કરવાની માંગ ઉઠાવી હતી. પરંતુ આ બેઠક અનિર્ણિત રહી હતી. તેમણે કહ્યું કે અમને ગૃહમંત્રી પાસેથી જે પ્રતિસાદ જોઈ તો હતો તે ન મળ્યો, તેથી અમે બેઠકમાંથી બહાર આવ્યા હતા. સત્યવ્રતે કહ્યું કે અમે વિરોધ માટે આગળની રણનીતિ બનાવી રહ્યા છીએ. અમે પાછળ હટીશું નહીં, અમે આગળની કાર્યવાહીનું આયોજન કરી રહ્યા છીએ.


સાક્ષી મલિકે કર્યો ઈનકાર


જો કે સાક્ષી મલિકે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે.  તેણે ટ્વીટ કરીને કહ્યું કે 'ન્યાયની લડાઈમાં, અમારામાંથી કોઈએ પણ પીછેહઠ કરી નથી, અને પીછેહઠ કરીશું પણ નહીં. સત્યાગ્રહની સાથે સાથે હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહ્યો છું. ન્યાય ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે