એક અનોખું ગામ જે ગુજરાતમાં હોવા છતાં, લોકો મતદાન MPની ચૂંટણીઓમાં કરે છે


  • Published By :
  • Published Date : 2022-11-25 14:44:49

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યમાં તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી ઘોંઘાટ વચ્ચે રાજ્યનું એક ગામ એવું પણ છે, જ્યાં કોઈ પ્રચાર અભિયાન, ચૂંટણી બેનરો, ધજા-પતાકા કે નેતાઓની અવર-જવર જોવા મળતી નથી. છોટા ઉદેપુર જિલ્લાનું સાજનપુર ગામ ગુજરાતનું એક અનોખું ગામ છે, આ ગામના લોકો રહે છે તો ગુજરાતમાં પણ મતદાન મધ્યપ્રદેશની ચૂંટણીમાં કરે છે.


ગુજરાતનું ગામ, વહીવટ  MPનો


ભૌગોલિક રીતે ગુજરાતમાં હોવા છતાં સાજનપુર મધ્યપ્રદેશ સાથે જોડાયેલું છે! તેથી, અઢી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ ગામમાં બધુ સામાન્ય જોવા મળે છે. લગભગ 1,200 લોકોની વસ્તી ધરાવતા સાજનપુરમાં દરેક હૃદય તેના મૂળ રાજ્ય મધ્ય પ્રદેશ માટે ધબકે છે, સાજનપુર એ એક અનોખું ગામ છે જે ભૌગોલિક રીતે ગુજરાતથી ઘેરાયેલું છે, પરંતુ વહીવટી રીતે તે મધ્યપ્રદેશ હેઠળ છે. તેથી, ગુજરાતના રાજકારણીઓ ભાગ્યે જ આ ગામની મુલાકાત લે છે, ચૂંટણી દરમિયાન પણ નહીં.

સાજનપુર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા હેઠળ આવે છે અને તે મધ્યપ્રદેશની સરહદથી લગભગ 3 કિમી દૂર આવેલું છે. સજનપુરમાં મોટાભાગના સાઈનબોર્ડ હિન્દી ભાષામાં છે. આ ગામના લોકોને મધ્યપ્રદેશ સુધી પહોંચવા માટે ગુજરાતના ગામડાઓમાંથી પસાર થવું પડે છે.


ગામ લોકોને ભાષાની સમસ્યા


સાજનપુરના લોકો ઘરે ગુજરાતી બોલી છે, જ્યારે વહીવટી કામ માટે અમારે હિન્દી પણ શીખવી પડે છે, સાજનપુરના લોકો ગુજરાતના નજીકના ગામો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે અને નાગરિકોની ચર્ચા પણ કરે છે. જો કે સાજનપુરના રહેવાસીઓને એમપી સરકાર સામે કોઈ ફરિયાદ નથી અને તેમના મૂળ ગુજરાતથી કપાઈ જવા છતાં તેઓની સારી રીતે દેખભાળ રાખવામાં આવે છે



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.