ભ્રષ્ટાચારનો ભોગ બનતા ખેડૂતોની પીડાને સાંઈરામ દવેએ વર્ણવી! YuvrajSinh Jadejaએ શેર કર્યો વીડિયો, સાંભળો ગીત


  • Published By :
  • Published Date : 2023-08-03 10:02:23

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણી અર્થવ્યવસ્થા ખેતર પર આધારિત છે. ખેડૂતો દ્વારા દિવસ રાત કરવામાં આવતી મહેનતને કારણે આપણા સુધી અન્ન પહોંચે છે. ભર તડકો, કડકડતી ઠંડીને ન જોઈ ખેડૂત આપણને અગવડ ન પડે, આપણે ભૂખ્યા પેટે ન સુવુ પડે તે માટે ખેતરમાં તનતોડ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ખેડૂતો સુધી પોતાના જ હકના પૈસા નથી મળતા. જે પ્રકારે તે મહેનત કરે છે તે પ્રકારના ભાવ તો ઠીક પરંતુ પોષણસમા ભાવ માટે પણ ખેડૂતોને રઝડવું પડતું હોય છે. ખેડૂતોને પણ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડતું હોય છે. 

યુવરાજસિંહએ શેર કર્યો ખેડૂતોની વ્યથા વર્ણવતો વીડિયો  

ભ્રષ્ટાચારનો વ્યાપ દરેક જગ્યાઓ પર, દરેક વિભાગમાં જોવા મળતો હોય છે. જ્યારે કોઈ સરકારી કામ કરાવવું હોય ત્યારે લોકો પહેલેથી જ તૈયાર હોય છે કે આપણે પૈસા આપીશું ત્યારે જ કામ થશે. અનેક એવા ઉદાહરણો પણ આપણી સામે છે. આપણામાંથી એવા લોકો પણ હશે જેમણે પૈસા આપી પોતાનું કામ કરાવ્યું હશે. ભ્રષ્ટાચારનો ભોગ અનેક લોકો બનતા હોય છે. ખેતરમાં કામ કરતો ખેડૂત પણ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યો છે. અનેક વખત ખેડૂતો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ તેમના સુધી પહોંચતી નથી, વગેરે વગેરે... ત્યારે યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વિટ કરી છે જેમાં હાસ્ચકલાકાર સાંઈરામ દવેનું એક ગીત પોસ્ટ કર્યું છે જેમાં ખેડૂતોની વેદના તેમણે વર્ણવી છે. 


યુવરાજસિંહ અનેક વખત ઉઠાવે છે આવા મુદ્દા

મહત્વનું છે યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક એવા આવા મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હોય તેવો ઘટસ્ફોટ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. સિસ્ટમમાં થતા ભ્રષ્ટાચાર અંગે તેમણે ઘણી વખત વાત કરી હોય છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.