વડોદરાના સાદરા પોસ્ટ ઓફિસના 32 વર્ષીય પોસ્ટ માસ્તરનું હાર્ટ-એટેકથી મોત, 2 મહિના પહેલા જ થઈ હતી ટ્રાન્સફર


  • Published By :
  • Published Date : 2023-07-25 16:34:58

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. દર બે-ત્રણ દિવસે હાર્ટ એટેકથી મોતના સમાચાર આવતા રહે છે, તેમાં પણ હાર્ટ એટેકનો સોથી વધુ ભોગ યુવાનો બની રહ્યા છે. વડોદરા જિલ્લામાં એક યુવાન પોસ્ટ માસ્તરનું  હાર્ટ એટેક મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. વડોદરાના પાદરા તાલુકાની સાદરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા 32 વર્ષિય દર્શનભાઇ ભીખાભાઇ પટેલ હ્રદયરોગના જીવલેણ હુમલાનો ભોગ બન્યા હતા. દર્શનભાઇ પટેલ મૂળ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રતનપુર ગામના વતની હતા.  તેઓ વડોદરા શહેરના અટલાદરા પી-401, આરૂણી રેસિડેન્સીમાં પત્ની પુનમબહેન સાથે રહેતા હતા. એક યુવાનનું હાર્ટએટેકથી મોત નીપજતાં તેમના પરિવાર અને પોસ્ટકર્મીઓમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. 


છાતીમાં દુઃખાવો સારવાર માટે ખસેડાયા


દર્શનભાઇ સવારે રાબેતા મુજબ સાદરા પોસ્ટ ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસમાં પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં તેઓને ગભરામણ શરૂ થઈ હતી. પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને છાતીમાં દુઃખાવો શરૂ થયો હતો. પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલની તબિયત બગડતા સાથી કર્મચારીઓ તુરંત જ તેઓને મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. પરંતુ, ફરજ ઉપરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. 32 વર્ષીય પોસ્ટ માસ્તર દર્શનભાઇ પટેલનું એટેકથી મોત નીપજતાં તાલુકાની પોસ્ટ ઓફિસોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. આ સાથે સાદરા ગામમાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ બનાવની જાણ પત્ની પુનમબહેન પટેલ તેમજ અન્ય પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા.


વતનમાં થશે અગ્નિ સંસ્કાર


દર્શનભાઇ પટેલનું ત્રણ વર્ષ પહેલાં પુનમબહેન સાથે લગ્ન થયું હતું. તેઓ સાદરા પોસ્ટ ઓફિસમાં બે મહિના પહેલા જ ટ્રાન્સફર થઇને આવ્યા હતા. દર્શનભાઇનું એટેકથી મોત નિપજ્યું હોવાની જાણ વડું પોલીસને કરવામાં આવતા પોલીસકર્મી દોડી આવ્યા હતા મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મોતને ભેટેલા દર્શનભાઇ પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ પરિવાર મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ ગયા હતા. સાદરા ગામ સહિત આસપાસના ગામોમાં ગમગીની ફેલાવી દેનાર આ બનાવ અંગે વડું પોલીસે જરૂરી તપાસ બાદ કાર્યવાહી હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.