સચિન તેંડુલકર હવે હંમેશા વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળશે, મહાન ક્રિકેટરની પ્રતિમાનું કરાયું અનાવરણ


  • Published By :
  • Published Date : 2023-11-01 19:38:09

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સચિનની આ પ્રતિમા કાંસ્ય (બ્રૉન્ઝ) ધાતુથી બનાવવામાં આવી છે. સ્ટૅચ્યુ કુલ 14 ફૂટ ઊંચું છે. આ પ્રતિમા તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. ઉલ્લેખનિય છે કે સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો હતો. 

Image

સચિન માટે ખાસ રહ્યું છે વાનખેડે સ્ટેડિયમ


સચિને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે તેની 200મી ટેસ્ટ મેચ આ મેદાન પર રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ અને 126 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમે તેનો બીજો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો હતો. 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સાથે જ સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું હતું.


આ સિદ્ધિ મેળવનાર સચિન બીજો ભારતીય ક્રિકેટર


સચિન બીજો ભારતીય ક્રિકેટર છે જેની પ્રતિમા સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી છે. સચિન પહેલા દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સીકે ​​નાયડુની પ્રતિમા દેશના ત્રણ અલગ- અલગ સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી છે. જેમ કે ઇન્દોરમાં હોલ્કર સ્ટેડિયમ, નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમ અને આંધ્ર પ્રદેશમાં YSR સ્ટેડિયમમાં સીકે ​​નાયડુની પ્રતિમા સ્થાપિત કરાઈ છે.



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.