રાજસ્થાનના મુખ્યમંત્રીને લઈ સચિન પાયલટે કરી આ મોટી વાત! સોનિયા ગાંધી નહીં પરંતુ આ છે અશોક ગેહલોતના નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-09 13:59:43

રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો આંતરિક વિવાદ પાર્ટી પૂરતા સિમિત નથી રહ્યો પરંતુ તે વિવાદ જનતા સુધી પહોંચી ગયો છે. ત્યારે આજે ફરી એક વખત સચિન પાયલટે અશોક ગેહલોત પર ખુલ્લેઆમ નિશાન સાધ્યું છે. ગેહલોતના આરોપો પર ખુલીને જવાબ આપ્યો છે. પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું કે પહેલી વાર એવું જોઈ રહ્યો છું કે કોઈ પોતાની જ પાર્ટીના સાંસદ અને ધારાસભ્યોની આલોચના કરી રહ્યા છે. ભાજપના નેતાઓની તારીફ કરે અને કોંગ્રેસ નેતાઓનું અપમાન મારા સમજની બહાર છે. તેમણે કહ્યું કે અશોક ગેહલોતના ભાષણને સાંભળીને લાગે કે સોનિયા ગાંધી તેમની નેતા નથી પરંતુ વસુંધરા રાજે તેમના નેતા છે.

સચિન પાયલોટે કર્યા અશોક ગેહલોત પર પ્રહાર!

આ વર્ષના અંત સુધીમાં રાજસ્થાનમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસે જવાના છે તે બધા વચ્ચે સચિન પાયલોટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. પાયલટે કહ્યું કે અમે દિલ્હી જઈને પોતાની વાત રજૂ કરી. વસુંધરા રાજેના ભ્રષ્ટાચારને લઈ અનેક વખત ચિઠ્ઠી લખી. અનશન પર પણ બેઠો. પરંતુ હજી સુધી આ મામલે તપાસ કરવામાં આવી નથી. ખબર પડી રહી છે કે શા માટે એક્શન લેવામાં નથી આવ્યા.          


જનસંઘર્ષ યાત્રા કરશે સચિન પાયલોટ! 

વધુમાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની વાતો સાંભળીને લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નથી પરંતુ વસુંધરા રાજે છે. પોતાના નેતાને ખુશ કરવા અનેક લોકો સારી સારી વાતો કરતા હોય છે, ચુગલી કરે છે. આ બધા વચ્ચે સચિન પાયલોટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્ધ 11મેના રોજ અજમેરથી જયપુર સુધીની યાત્રા કરશે. જનસંઘર્ષ યાત્રા કરવાના છે. 125 કિલોમીટર લાંબી પદયાત્રા હશે અને આમાં પાંચ દિવસ લાગશે. આ યાત્રા બાદ બીજો નિર્ણય લેવામાં આવશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.