સચિન પાયલોટે રાજસ્થાન સરકારને આપ્યું અલ્ટિમેટમ! સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો માગ નહીં પૂરી થાય તો... સાંભળો શું કહ્યું સચિન પાયલોટે?


  • Published By :
  • Published Date : 2023-05-16 10:20:39

રાજસ્થાનનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતો વિવાદ જગ જાહેર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ વિરોધ શરૂ કર્યો છે. તપાસ કરવામાં આવે તેવી તેમની માગ છે. સચિન પાયલોટે જનસંઘર્ષ યાત્રા કરી હતી તે પહેલા એક દિવસના ધરણા પ્રદર્શન કર્યું હતું. આ યાત્રાનું સમાપન સોમવારે થયું હતું પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોતને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો માગણી નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની સરકારને આપી છે.

  

સચિન પાયલોટે આંદોલન કરવાની આપી ચીમકી!       

સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે ચાલતો વિવાદ હાલ ચર્ચામાં છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની જ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. જન સંઘર્ષ યાત્રાનું આયોજન કર્યું હતું જેનું સમાપન ગઈ કાલે થઈ ગયું છે. ત્યારે પોતાની જ સરકારને પાયલોટે અલ્ટિમેટમ આપ્યું છે. આંદોલન કરવાની ચીમકી સચિન પાયલોટે પોતાની જ સરકારને આપી છે. સચિન પાયલોટને મંત્રી રાજેન્દ્ર ગુઢાનું સમર્થન મળ્યું છે. પોતાની જ સરકાર પર નિશાન સાધતા કહ્યું  કે સરકારનું અલાઈનમેંટ ખરાબ થઈ ગયું છે અને તેમણે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડી દીધા છે. 

આખા રાજ્યમાં આંદોલન કરવાની કરી વાત!

સોમવારે સચિન પાયલોટની યાત્રા પૂર્ણ થઈ ગઈ હતી. 5 દિવસની યાત્રાનું આયોજન તેમણે કર્યું હતું. ત્યારે પાયલોટે જયપુર નજીક મહાપુરા ગામમાં જનસભા સંબોધી હતી અને પોતાના સંબોધનમાં તેમણે રાજ્ય સરકારને 30મે સુધીનો સમય આપ્યો છે. અને જો તેમની ત્રણ માગ પૂરી નહીં થાય તો આખા રાજ્યમાં આંદોલન કરવામાં આવશે. જો ત્રણ માગની વાત કરીએ તો રાજસ્થાનના પબ્લિક સર્વિસ કમિશનનો ભંગ કરવામાં આવે અને ફરી રચવામાં આવે. તે સિવાય વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તે સિવાય પેપર લીકથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે. 


રાજેન્દ્ર ગુઢાનું સચિન પાયલોટને મળ્યું સમર્થન!

સચિન પાયલોટે પોતાની જ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે એવું પણ કહ્યું કે તેમણે ગાંધીવાદી તરીકે ઉપવાસ અને જનસંઘર્ષ યાત્રા કરી છે પરંતુ આંદોલન સમગ્ર રાજ્યમાં કરાશે. સચિન પાયલોટના સમર્થનમાં અશોક ગેહલોત સરકારના અનેક મંત્રીઓ તેમજ ધારાસભ્યો આવ્યા છે. સમર્થનમાં આવેલા રાજેન્દ્ર ગુઢાએ પોતાની સરકાર પર જ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની સરકારમાં તો 40 ટકા જ ભ્રષ્ટાચાર હતો પરંતુ અમારી સરકાર તો તેનાથી પણ આગળ વધી ગઈ છે. અમારી સરકારે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સચિન પાયલોટ દ્વારા કરવામાં આવેલો વિરોધ વિધાનસભા ચૂંટણીમાં કેટલી અસર કરશે કારણ કે આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.      




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!