સચિન પાયલટે ફરી CM ગેહલોત પર કર્યા પ્રહાર, ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ નહીં


  • Published By :
  • Published Date : 2023-04-23 18:53:12

રાજસ્થાનના પૂર્વ CM વસુંધરા રાજે સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરી એક વખત CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યું છે. તેમણે અશોક ગેહલોત ખુલ્લેઆમ આકરા પ્રહારો પ્રહારો કર્યા છે. પાયલોટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. 


ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું


સચિન પાયલટે કહ્યું કે મેં વસુંધરા સરકારના ભ્રષ્ટાચારના મામલાઓ પર ઉપવાસ કર્યા હતા, પરંતુ ઉપવાસના 2 અઠવાડિયા પછી પણ અશોક ગેહલોત સરકારે હજુ સુધી વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી નથી. સચિન પાયલોટે કહ્યું કે અમે વસુંધરા સરકારના ભ્રષ્ટાચારની તપાસની માંગ માટે જનતા પાસેથી વોટ માંગ્યા હતા, તલાટી પરના દરોડાની તપાસની માંગ માટે વોટ નથી માંગ્યા. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીના લોકોને તે ભ્રમ ફેલાવવા દેવાની તક ન આપવી જોઈએ કે અહીં કોઈ પ્રકારની સાંઠગાંઠ છે. ચૂંટણીમાં પબ્લિક પર્સેપ્શન મહત્ત્વનું હોય છે અને લોકોમાં એવી ધારણા ન હોવી જોઈએ કે તેમની વચ્ચે મિલીભગત છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.