રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, સચિન પાયલોટ તેમની જ પાર્ટીની સરકાર સામે ધરણા પર બેસશે


  • Published By :
  • Published Date : 2023-04-09 13:35:37

રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ મચી છે, કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતા મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમા પર પહોંચ્યો છે. હવે સચિન પાયલટે તેમની જ પાર્ટીની સરકાર સામે બાયો ચઢાવી છે. આજે રવિવારે 9 એપ્રિલના દિવસે તેમણે મીડિયા સમક્ષ મુખ્યમંત્રી અશોક ગહલોત પર રોષ વ્યક્ત કરી સવાલોનો મારો ચલાવ્યો હતો. 


ગહલોત સરકાર સામે ઉપવાસ પર ઉતરશે


રાજસ્થાનમાં અગાઉની વસુંધરા રાજેની સરકારના ભ્રષ્ટાચારને લઈ ગહલોત સરકારે કોઈ કાર્યવાહી ન કરી તેના વિરોધમાં 11 એપ્રિલના રોજ સચિન પાયલોટ શહીદ સ્મારક પર એક દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે કહ્યું કે અમે અનેક વખત પત્ર લખી વસુંધરા સરકારમાં ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી કરવા વિનંતી કરી હતી પણ તેને લઈ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 


CM ગહલોત સામે શું આરોપ લગાવ્યા?


કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પોતાની જ પાર્ટીની સરકારને કઠેડામાં મૂકી દીધી છે. તેમણે કહ્યું કે જ્યારે અમે વિપક્ષમાં હતા, ત્યારે અશોક ગેહલોત જી, મેં અને અન્ય નેતાઓએ જનતાને વચન આપ્યું હતું કે તેઓ વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લઈશું. કમનસીબી છે કે સત્તામાં આવ્યાના સાડા 4 વર્ષ પછી પણ અગાઉની સરકારે આચરેલા ભ્રષ્ટાચાર સામે ગેહલોતે  કોઈ કાર્યવાહી કરી નથી. પાયલોટે કહ્યું કે અમારી કરણી અને કથનીમાં કોઈ ફરક ન હોવો જોઈએ. જો શબ્દો અને કાર્યોમાં ફરક હોય તો જનતાને લાગશે કે ઉપરના સ્તરે કોઈ સાઠગાંઠ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.