ટીચીંગ સ્ટાફના અભાવે અમદાવાદની આ કોલેજે બોર્ડ લગાવી કર્યું સૂચન "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમિશન લઇ લો"


  • Published By :
  • Published Date : 2023-07-07 15:57:11

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ચિંતાજનક રીતે કથળી રહ્યું છે, સમૃધ્ધ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ જ નહીં પણ ઉચ્ચ શિક્ષણની હાલત પણ સારી નથી. ગુણવત્તાસભર શિક્ષણની ગુલબાંગો ફેંકતી રાજ્ય સરકાર ગ્રાન્ટેડ શાળા અને કોલેજોને પુરતી ગ્રાન્ટ પણ મળતી નથી. આજ કારણે અમદાવાદ શહેર ઉપરાંત અન્ય શહેરોની કોલેજોમાં પૂરતો નોન ટીચિગ સ્ટાફ તથા પ્રોફેસર પણ નથી અને કોલેજ પાસે ગ્રાન્ટ નો અભાવ હોવાથી મૂળભુત જરૂરીયાતો પણ પુરી શકતી નથી.


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજે લગાવ્યું બોર્ડ


અમદાવાદના સાબરમતી વિસ્તાર આવેલી સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટાફની અછતના કારણે એડમિશનમાંથી પીછેહઠ કરી છે. કોલેજે સરકાર અને યુનિવર્સિટી પાસે સ્ટાફની અવારનવાર માંગણી કરી છે પરંતુ, સ્ટાફની અછત પૂરવામાં આવતી નથી. કોલેજ પાસે અત્યારે નોન ટીચિંગમાં ક્લાર્ક અને પટાવાળા જ છે. બે વ્યક્તિઓ દ્વારા કોલેજ કેવી રીતે ચલાવી શકાય. આ ઉપરાંત અમારા કોલેજના પ્રિન્સિપલ પણ નથી. આ જ કારણે મજબૂર થઈ કોલેજના દરવાજા પર બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેના પર લખ્યું છે કે "બાળકોનું સારું ભવિષ્ય ઇચ્છતા હોવ તો અન્ય કોલેજમાં એડમીશન લઇ લો".

Image

વિદ્યાર્થીઓને ભણાવનાર કોઈ નથી


સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મેનેજમેન્ટ દ્વારા સ્ટાફની ઘટ અને જર્જરીત કોલેજ ને લઈને PM પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી છે. PMOથી ચીફ સેક્રેટરી ને આ મામલે કાર્યવાહી કરવા જણાવાયું છે તેમ છતાં કોઈ પગલાં લેવાયા નથી. જો કે તેમ છતાં કોલેજ દ્વારા સ્ટાફ વગરની જર્જરિત કોલેજમાં યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ 150 થી વધુ વિદ્યાર્થીઓનેએડમિશન ફાળવવામાં આવ્યા છે. ગ્રાન્ટ-ઇન કોલેજ હોવાથી કોલેજ વધુ ફી પણ લઈ શકતી નથી, પ્રોફેસરના અભાવે એક જ ક્લાસમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.


કોલેજ બંધ કરવાની અરજી પેન્ડિંગ


સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની કથળતી આર્થિક સ્થિતિ બાદ મેનેજમેન્ટ કોલેજ બંધ કરવાની અરજી કરી છે. મેનેજમેન્ટ સામેથી આ અરજી સરકાર સમક્ષ કરી છે. આ કોલેજોની આર્થિક સ્થિતિ કથળી છે. માંડ 40-50 હજારની ગ્રાંટની સામે લાખોનો ખર્ચ થતા 50 વર્ષથી પણ જુની કોલેજોએ બંધ કરવા અરજી કરી છે. સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડિરેક્ટર અમિત ઊપાધ્યાએ જણાવ્યું કે કોલેજ પાસે 8 વર્ષથી ક્લેરિકલ અને સ્વીપરનો નિયમિત સ્ટાફ નથી. ઓફિસમાં ઓનલાઇન તેમજ અંગ્રેજીમાં કામ કરી શકે તેવો કોઈ સ્ટાફ નથી. 6-7 માણસો ઓફિસમાં નથી, પટાવાળા નથી, સ્વીપર નથી અને વોચમેન પણ નથી. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!