Sabarkantha પોલીસ વિવાદમાં આવી છે, Vijaynagar પોલીસે તોડકાંડ કર્યાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-12-07 17:07:18

પોલીસની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉભા થઈ રહ્યા છે. પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે પોલીસે રાજસ્થાનથી ગુજરાત દારૂ મંગાવ્યો અને પછી કેશ કરી દીધો અને રૂપિયા પડાવ્યા. 

દારૂબંધી માત્ર કાગળ પર જ છે પૂરવાર થયું! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ જ દારૂ રાજસ્થાનથી મંગાવે છે અને પછી ગુજરાતમાં તે દારૂને વેચી નાખે છે. જોકે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ જમાવટ નથી કરતું. પરંતુ  આ વીડિયો જોઈને એવું લાગે છે કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે ફરીથી એક વખત સાબિત થયું છે. આ વાયરલ વીડિયોના કારણે સાબરકાંઠા પોલીસ વિવાદમાં આવી છે. 


પોલીસે દારૂ મંગાવ્યો, વેચી કમાણી કરી! 

ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કેટલો અમલ થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક એવા વીડિયો, અનેક એવા લોકો આપણને મળી આવે છે જે દારૂના નશામાં હોય છે. દારૂબંધી કાયદાનો અમલ ન થવા બદલ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થાય છે. ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. વિજયનગર પોલીસે દારૂ તો મંગાવ્યો સાથે સાથે દારૂ પહોંચાડનાર ડ્રાઈવર સામે કેસ કર્યો અને બે લાખ રૂપિયા પણ પડાવ્યાનો રાજસ્થાનના એક ગામના સરપંચે આરોપ લગાવ્યો છે. સાથે કહ્યું કે વિજયનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓએ 31 પેટી દારૂ મંગાવ્યો અને ફક્ત પાંચ પેટી દારૂ ઝડપાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 


વિજયનગર પોલીસ પર સરપંચે લગાવ્યો આરોપ!

રાજસ્થાનના સરપંચે વિડીયો વાયરલ કરીને કહ્યું વિજયનગર પોલીસે દારુ મંગાવી પૈસા પડાવ્યા છે. કાલવણ ચેક પોસ્ટ પર દારુ આપવા ગયેલા ડ્રાઇવર સામે કેસ કર્યો. ૩૧ પેટીમાંથી માત્ર ૫ પેટી દારુ પકડાયો હોવાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થઇ છે. આ વાયરલ વીડિયોમાં જે દેખાઈ રહ્યા છે તે રાજસ્થાનનાં ખેરવાડા તાલુકાના કાનપુર ગામના પૂર્વ સરપંચ બક્ષિરામ ડોડા છે આ વીડિયો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના વિવિધ સોશ્યલ મીડિયા ગ્રુપ માં વાયરલ થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે. હવે સાચું કોણ અને ખોટું તેની તપાસ જરૂરી છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે