Sabarkantha Loksabha Seat : ભીખાજી ઠાકોરના સમર્થનમાં આવ્યા હજારો લોકો, પાર્ટી કાર્યાલયનો કર્યો ઘેરાવો, છલકાયો આક્રોશ....!


  • Published By :
  • Published Date : 2024-03-26 14:56:56

અનેક વખત કોંગ્રેસ માટે કહેવામાં આવે છે કે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે., પરંતુ હવે આ વાત ભાજપ માટે પણ લાગૂ પડી રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખૂલ્લીને સામે આવી રહ્યા છે. ભાજપમાં રહેલા કાર્યકર્તાઓમાં અંદર રહેલો રોષ સામે આવી રહ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ટિકીટ આપી પરંતુ તે બાદ ઉમેદવારને બદલી દેવામાં આવ્યા. તેમની જગ્યાએ શોભના બારૈયાને ઉમેદવાર બનાવ્યા છે. આ બધા વચ્ચે સાબરકાંઠામાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના સમર્થકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 

આ બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની પાડી ના... 

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામ જાહેર કર્યા બાદ ઉમેદવારોમાં ઉત્સાહ હતો અને અનેક ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. આ બધા વચ્ચે અચાનક વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ તેમજ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેઓ ચૂંટણી નથી લડવાના. જેને કારણે તેમના સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 


ભાજપે શોભના બારૈયાને આપી છે ટિકીટ 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી આ બંને બેઠકો માટે પણ. સાબરકાંઠા બેઠક માટે શોભના બારૈયાને ટિકીટ આપવામાં આવી. ઉમેદવારના નામની જાહેરાત થઈ તે બાદ કાર્યકર્તાઓમાં ચાલી રહેલી નારજગી જોવા મળી. અને હવે ભીખાજી ઠાકોરના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કદાચ આવા દ્રશ્યો જોવા પડશે તેનો વિચાર પણ નહીં કર્યો હોય... ભાજપ માટે એવું કહીએ કે હા પાડે તો હાથ કપાય અને ના પાડે તો નાક કપાય....      





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.