સાળંગપુર વિવાદ: ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ સંપ્રદાયના સંતોના વાણી વિલાસની નિંદા કરી, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-05 21:17:02

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાળંગપુર હનુમાનજી મંદિર વિવાદનો સુખદ નિવેડો આવી ગયો છે.  મંદિર પરીસરમાં લગાવવામાં આવેલા વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા છે. જો કે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં મહા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા-જુદા  8 મુદ્દા અંગે ઠરાવ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે બોટાદના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ.પી સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે અને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવેલા વાણીવિલાસની નિંદા કરી હતી.


શું કહ્યું એસ.પી સ્વામીએ? 


આ સમગ્ર વિવાદ મુદ્દે ગઢડામાં આવેલા સ્વામિનારાયણ મંદિરના એસ.પી. સ્વામીએ કહ્યુ હતુ કે, ‘વડતાલના સભામંડપમાં નાથ સંપ્રદાય માટે જે વાત કરવામાં આવી છે તેની સખત શબ્દોમાં હું ટીકા અને નિંદા કરું છું. વડતાલ લક્ષ્મીનારાયણ દેવગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા મૂળ સંપ્રદાયની ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સ્થાપિત થાય અને કોઈપણ દેવી-દેવતાનું ક્યારેય પણ અપમાન ન થાય તે રીતે તેમણે સંપ્રદાયને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે. આ બધી જે ઘટનાઓ બને છે તે વડતાલ ગાદીના આચાર્યશ્રીની આજ્ઞાથી વિપરીત ચાલી રહ્યા છે તેના દ્વારા થઈ રહ્યું છે. સનાતન હિંદુ ધર્મના સાધુ-સંતોની લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે તેનો અમે ખ્યાલ રાખીશું.’


આ ઉપરાંત તેમણે સનાતન હિન્દુ ધર્મ દ્વારા સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવાની પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, હનુમાનજી મંદિરના વિવાદિત ભીંતચિત્ર મામલા સહિતના તમામ પ્રશ્નોનું નિવારણ આવે તેવી પ્રાર્થના પણ કરીએ છીએ.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.