વિદેશ મંત્રી એસ જયશંકરને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી, ગૃહ મંત્રાલયે CRPFને સુરક્ષા સંભાળવા કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-10-12 21:05:25

કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. અત્યાર સુધી વિદેશ મંત્રી એસ જયશંકરને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. સૂત્રોએ માહિતી આપી છે કે ગૃહ મંત્રાલયે CRPFને જયશંકરની સુરક્ષાનો હવાલો લેવાનો હુકમ કર્યો છે. આ પહેલા દિલ્હી પોલીસ તેમને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી રહી હતી.


Z કેટેગરીની સુરક્ષા શું છે?


સૂત્રોએ જણાવ્યું હતું કે હવે એસ.જયશંકરને  CRPF Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડશે અને આ અંતર્ગત લગભગ 14-15 સશસ્ત્ર કમાન્ડો 24 કલાકની શિફ્ટમાં તેમની સાથે રહેશે. CRPF હાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 176 લોકોને VIP સુરક્ષા પૂરી પાડે છે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.