વિદેશ મંત્રી એસ જયશંકરને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી, ગૃહ મંત્રાલયે CRPFને સુરક્ષા સંભાળવા કર્યો હુકમ


  • Published By :
  • Published Date : 2023-10-12 21:05:25

કેન્દ્ર સરકારે વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દીધી છે. અત્યાર સુધી વિદેશ મંત્રી એસ જયશંકરને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળશે. સૂત્રોએ માહિતી આપી છે કે ગૃહ મંત્રાલયે CRPFને જયશંકરની સુરક્ષાનો હવાલો લેવાનો હુકમ કર્યો છે. આ પહેલા દિલ્હી પોલીસ તેમને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી રહી હતી.


Z કેટેગરીની સુરક્ષા શું છે?


સૂત્રોએ જણાવ્યું હતું કે હવે એસ.જયશંકરને  CRPF Z કેટેગરીની સુરક્ષા પૂરી પાડશે અને આ અંતર્ગત લગભગ 14-15 સશસ્ત્ર કમાન્ડો 24 કલાકની શિફ્ટમાં તેમની સાથે રહેશે. CRPF હાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત 176 લોકોને VIP સુરક્ષા પૂરી પાડે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.