ચીન સાથે ભારતના સંબંધો કેમ સારા નથી? વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-02-21 20:30:07

ચીનને લઈને સરકારની નીતિને લઈને વિપક્ષના સવાલ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે "અમે ચીનથી ડરતા નથી. તેમણે કહ્યું કે જો અમને ડર હોત તો અમે સરહદ પર સેના તૈનાત ન કરી હોત." વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસના સવાલ પર તેમણે કહ્યું કે કોંગ્રેસે ઈમાનદારીથી જોવું જોઈએ કે 1962માં શું થયું હતું.? લદ્દાખમાં પેંગોંગ નજીકનો વિસ્તાર 1962થી ચીનના ગેરકાયદે કબજા હેઠળ છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટર્વ્યુમાં એસ જયશંકરે ચીન, પાકિસ્તાન, બીબીસીની ડોક્યુમેન્ટરી સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.


રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ  


એસ જયશંકરે કહ્યું કે હું કહેવા માંગુ છું કે ચીને 1962માં અમારી જમીનના એક ટુકડા પર કબજો જમાવ્યો હતો. હવે વિપક્ષ 2023માં મોદી સરકાર પર આરોપ લગાવી રહ્યો છે કે 1962માં ચીને જે જમીન પર કબજો કર્યો હતો તેના પર ચીન પુલ બનાવી રહ્યું છે. એસ જયશંકરે કહ્યું કે હું લાંબા સમયથી ચીનનો રાજદૂત હતો અને સરહદી મુદ્દાઓ પર કામ કરતો હતો. રાહુલ ગાંધીનું નિવેદન જેમાં તેમણે કહ્યું કે એસ જયશંકરને વિદેશ નીતિ વિશે વધારે ખબર નથી. એસ જયશંકરે કહ્યું કે હું એમ નહીં કહું કે મારી પાસે સૌથી વધુ જાણકારી છે પરંતુ એટલું કહીશ કે હું ચીન વિશે ઘણું જાણું છું. જો તેઓ (રાહુલ ગાંધી)ને ચીન વિશે જાણકારી હોય તો હું તેમની પાસેથી પણ શીખવા તૈયાર છું. એસ જયશંકરે કહ્યું કે દરેક કહે છે કે આપણે સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ, તો કોંગ્રેસે કેમ ન કર્યું. મેં બોર્ડર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું બજેટ જોયું, મોદી સરકારમાં બજેટમાં 5 ગણો વધારો થયો છે. 2014 સુધી તે 3-4 હજાર કરોડ હતો અને આજે 14 હજાર કરોડ છે. અમારી સરકાર આ બાબતે ગંભીર છે.


ચીને કરારો તોડ્યા


રશિયા અને યુક્રેન યુદ્ધે આપણા સંબંધો પર અસર કરી નથી. ચીન સિવાય તમામ મોટી શક્તિઓ સાથે આપણા સારા સંબંધો છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ચીન સાથે અમારા સંબંધો સારા નથી કારણ કે તેણે ઘણા કરારો તોડ્યા છે. આજે આપણું વૈશ્વિક સ્તર ઘણું ઊંચું છે. આજે આપણે આપણી વિચારસરણી, અભિયાન અને વિદેશ નીતિને લાગુ કરવા માટેની વ્યૂહરચના વિશે પહેલા કરતાં વધુ સ્પષ્ટ છીએ અને તે હોવું જ જોઈએ.


પાકિસ્તાનની સ્થિતી માટે તે જવાબદાર


પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલત અંગે વિદેશમંત્રીને પૂછવામાં આવ્યું કે તેનાથી ભારત પર શું અસર થઈ શકે છે? તેમણે જવાબ આપ્યો કે, પાકિસ્તાનનું ભવિષ્ય તેના પોતાના દ્વારા લેવાયેલાં પગલાંઓ નક્કી કરશે. અચાનક કોઈ આવી સ્થિતિમાં પહોંચતું નથી. આ વિશે જાણવું પાકિસ્તાનનું કામ છે. અત્યારે પાકિસ્તાન સાથેના અમારા સંબંધો એવા છે કે તેની સાથે શું થઈ રહ્યું છે તેનાથી અમને કોઈ લેવાદેવા નથી.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ચાઇના પર ટેરિફ વધારીને ૧૪૫ ટકા કરી નાખ્યો છે. ચાઇના પર નાખેલા ટેરીફની રાષ્ટ્રપતિ ક્ષી જિંગપિંગની પેહલી પ્રતિક્રિયા પણ સામે આવી છે. તો આ તરફ યુરોપીઅન યુનિયને અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવવા પર રોક લગાવી દીધી છે. તો બીજી તરફ અમેરિકા અને રશિયાએ ઈસ્તંબુલમાં એક રાજદ્વારી બેઠક યોજી હતી .

ડોનાલ્ડ ટ્રમ્પએ રેસિપ્રોકલ ટેરીફના અમલીકરણ માટે ૯૦ દિવસનો પ્રતિબંધ મુક્યો છે. તો આ તરફ ઈરાને "પરમાણુ" હથિયારોનો ત્યાગ કરવાની તૈયારી બતાવી છે. અમેરિકાના રક્ષા મંત્રી પીટ હેંગસેથ પનામા કેનાલની મુલાકાતે ગયા હતા અને તેમણે પનામા કેનાલને ફરી વખત પાછું લેવાની વાત કરી છે. બાંગલાદેશના પીએમ મોહમ્મદ યુનુસ જયારે થોડાક દિવસ પેહલા ચાઇનાની મુલાકાતે ગયા ત્યાં તેમણે ઉત્તર-પૂર્વીય ભારત માટે ખુબ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું . હવે ભારતે બાંગ્લાદેશની ટ્રાન્સશિપમેન્ટ ફેસિલિટી પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ભારત તેની પ્રહારક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટ વર્ષાનું અમલીકરણ કરી રહ્યું છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ "ટેરિફ વિસ્ફોટ" પછી "વિઝા ટેરર" ની નીતિ અપનાવી છે. યુએઈના રક્ષા મંત્રી ભારત આવ્યા છે તેમણે ભારત સાથે ખુબ મહત્વના ક્ષેત્રોમાં સહકાર સાધવાનો પ્રયાસ કર્યો છે. તો હવે ઈરાન અને અમેરિકા પરમાણુ ક્ષેત્રે વાર્તાલાપ કરવા તૈયાર છે.

આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.