Russia : અનેક સ્થળો પર થયો આતંકી હુમલો, 15 પોલીસકર્મીઓ સહિત અનેક નાગરિકો મોતને ભેટ્યા...! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 11:43:17

દુનિયાના અનેક ભાગો એવા છે જ્યાં આતંકી હુમલાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ભારતમાં પણ અનેક વખત આતંકી હુમલાઓ થયા છે જેમાં અનેક વીર જવાનો શહીદ થયા છે ઉપરાંત અનેક નાગરિકો પણ મોતને ભેટ્યા છે.. રશિયાના ઉત્તર કોરેશસ ક્ષેત્રમાં આતંકી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.  રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

ધર્મસ્થળ પર કરવામાં આવી ગોળીબારી! 

રશિયામાં અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત થયા છે..  રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અત્યાધુનિક હથિયારો દ્વારા ગોળીબારી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. આ ફાયરિંગ દાગિસ્તાનમાં બની છે અને આ ઘટનામાં 15 જેટલા પોલીસ કર્મીઓ તેમજ અનેક નાગરિકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો તેમજ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સાથે સાથે એવી પણ માહિતી સામે આવી છે કે 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.



અનેક લોકો આતંકી હુમલામાં મોતને ભેટ્યા

રવિવારે એટલે કે 23 જૂને રશિયાના દાગિસ્તાનમાં આતંકવાદી હુમલો થયા હોવાનો બનાવ સામે આવ્યો. આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો તેમજ પોલીસ કર્મીઓ મોતને ભેટ્યા.. મહત્વનું છે કે હુમલા બાદ અધિકારીક રીતે ત્યાંથી નિવેદન સામે આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક અજાણ્યા લોકોએ એક સિનાગોગા અને ચર્ચ પર ઓટોમેટિક હથિયારો વડે ગોળીબારી કરી છે. 

અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે હુમલાના પરિણામે ડર્બેન્ટમાં એક સિનેગોગ અને ચર્ચમાં આગ લાગી હતી.


આંતકવાદી સંગઠન દ્વારા નથી લેવામાં આવી હુમલાની જવાબદારી!

અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા દેખાયા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી ધર્મસ્થળ પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું. રશિયાના મીડિયા રિપોર્ટ અનુસાર એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના આતંકીઓ હતા. હાલ કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.