Russia Plane Crash: રશિયન મિલિટરી વિમાન ક્રેશ! 65 યુક્રેનિયન કેદીઓ સહિત 74 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2024-01-24 22:48:26

રશિયાનું એક મિલિટરી વિમાન ક્રેશ (Russian military plane crashes) થયું છે. આ દુર્ઘટના પશ્ચિમ બેલ્ગોરોડમાં થઈ હતી. આ વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ સહિત કુલ 74 લોકો સવાર હતા. તે તમામના મોત થયા છે. રશિયન સમય અનુસાર સવારે 11 વાગ્યે આ અકસ્માત થયો હતો.


ક્રેશ થયા બાદ પ્લેનમાં લાગી હતી આગ 

આ રશિયન પ્લેન ઈલ્યુશિન ઇલ-76 (Ilyushin Il-76) હતું, તેની લંબાઈ 164 ફૂટ હતી. ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. વિમાનમાં 65 યુક્રેનિયન કેદીઓ ઉપરાંત 6 ક્રૂ મેમ્બર અને 3 એસ્કોર્ટ્સ પણ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં 65 યુક્રેનિયન સૈનિકો સવાર હતા જેમને પહેલાથી જ કેદી બનાવી લેવામાં આવ્યા હતા. રશિયન સૈનિકોની મુક્તિના બદલામાં તેઓને મુક્ત કરવામાં આવનાર હતા. તેમની આપ-લે યુક્રેનની સરહદ પર થવાની હતી. CNNના રિપોર્ટ મુજબ, બેલ્ગોરોડના ગવર્નરે પ્લેન દુર્ઘટના પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું છે કે વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે.જો કે હજુ સુધી રશિયન સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


કેદીઓની અદલાબદલી થવાની હતી


ઉલ્લેખનિય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં બંને દેશો વચ્ચે સૌથી મોટી કેદીઓની અદલાબદલી થઈ હતી. આ અદલાબદલી UAEના અધિકારીઓની મધ્યસ્થી બાદ થઈ હતી. આ સમયગાળા દરમિયાન રશિયાએ 230 યુક્રેનિયન નાગરિકોને મુક્ત કર્યા હતા, બદલામાં યુક્રેને 248 રશિયન કેદીઓને મુક્ત કર્યા હતા. બંને દેશો વચ્ચે કેદીઓની આ 48મી અદલાબદલી હતી. માર્યા ગયેલા સૈનિકોને પણ કેદીઓની અદલાબદલી હેઠળ યુક્રેન મોકલવાના હતા.



સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ૧૯૪૮થી જ હિંસક આંદોલનો થઈ રહ્યા છે , જાણો કેવી રીતે તેને પાકિસ્તાન સાથે જોડી દેવાયું અને હવે કેમ ત્યાં હિંસક આંદોલનો થઈ રહ્યા છે?