રશિયાના યુક્રેન પર ફરી મિસાઇલ અને ડ્રોન હુમલા, 11 લોકોના મોત, અન્ચ 11 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-01-27 13:25:46

રશિયન સુરક્ષા દળોએ વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા યુક્રેનના લગભગ એક ડઝન પ્રાંતોને નિશાન બનાવ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસના પ્રવક્તા એલેક્ઝાન્ડર ખોરુન્ઝીએ યુક્રેનિયન ટેલિવિઝન પર જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ પણ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, એક દિવસ પહેલા જ અમેરિકા અને જર્મનીએ યુક્રેનને યુદ્ધમાં મદદ કરવા માટે ઉચ્ચ ક્ષમતા ધરાવતી ટેન્ક આપવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ રશિયાએ નવા હુમલા કર્યા હતા.


કિવના મેયરે માહિતી આપી 


કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જે નવા વર્ષની પૂર્વ સંધ્યા પછી રાજધાનીમાં આ પ્રકારનું પ્રથમ મૃત્યુ છે. તેમણે કહ્યું કે રશિયન હુમલામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે. કિવ શહેર વહીવટીતંત્રના વડા સેરહી પોપકોએ જણાવ્યું હતું કે યુક્રેનિયન વાયુસેનાએ વિસ્તાર તરફ જતી 15 મિસાઇલોનો નાશ કર્યો હતો. યુક્રેનના ઝેપોરીઝિયા પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊર્જા સુવિધા પર થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને સાત ઘાયલ થયા હતા.


યુક્રેનને ટેન્કની સપ્લાયને લઈને રશિયા ગુસ્સામાં


રશિયાએ યુક્રેનને નાટો દેશો દ્વારા ટેન્ક સપ્લાય કરવા પર સખત નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકામાં રશિયાના રાજદૂતે ચેતવણી આપી છે કે નાટો દેશોની ટેન્કો તેમના અન્ય હથિયારોની જેમ સરળતાથી નાશ પામશે. અમેરિકાએ યુક્રેનને એમ1 અબ્રામ્સ ટેન્ક, જર્મનીને લેપર્ડ ટેન્ક અને બ્રિટને ચેલેન્જર-2 ટેન્ક આપવાની જાહેરાત કરી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે