Anupama ફેમ Rupali Ganguly આવશે Gujarat! Porbandar લોકસભા સીટના ઉમેદવાર Dr.Mansukh Mandaviya માટે કરશે પ્રચાર! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-03 12:46:35

ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે... રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સભાઓને ગજવી રહ્યા છે.. પીએમ મોદી પોતે બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા અને અનેક જનસભાને સંબોધી હતી.. ઉમેદવારોના પ્રચાર માટે અનેક નેતાઓ ગુજરાત આવી રહ્યા છે ત્યારે એવી માહિતી સામે આવી છે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવી શકે છે.. પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવિયા માટે તે પ્રચાર કરશે તેવી માહિતી સામે આવી છે.


પાર્ટીના દિગ્ગજ નેતાઓ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રચાર

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતના ભાજપનો ગઢ માનવામાં આવે છે... ગુજરાતને ભાજપની રાજકીય લેબોરેટરી માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં જે રણનીતિ ફોલો થાય છે. જે પ્રયોગો થાય છે તેને ભારતના અનેક રાજ્યોમાં અપલાય કરવામાં આવે છે.... ગુજરાતમાં 26એ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. આ વખતે પણ 26એ 26 બેઠકો પર કેસરિયો લહેરાય તે માટે પ્રયાસો થઈ રહ્યા છે.... મતદારને રિઝવવા માટે દિગ્ગજ નેતાઓ જનસભાને સંબોધી રહ્યા છે. 


ડો. મનસુખ માંડવિયાના સમર્થનમાં પ્રચાર કરી શકે છે રૂપાલી ગાંગૂલી

આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે અનુપમા ફેમ રૂપાલી ગાંગૂલી ગુજરાતમાં આવી પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવિયા માટે પ્રચાર કરી શકે છે... મહત્વનું છે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે... ત્રીજી વખત ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે... મહત્વનું છે કે ગુજરાત માટે ભાજપે લક્ષ્યાંક રાખ્યો છે પાંચ લાખની લીડ સાથે જીતવાનો.. ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થાય છે કે કેમ તે ચોથી જૂને ખબર પડશે...    



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.