વડોદરામાં રૂપાલાની ગુપ્ત બેઠક, દબંગ નેતા મધુશ્રીવાસ્તવને દૂર રખાયા


  • Published By :
  • Published Date : 2022-11-07 09:44:39

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રવિવારની મોડી રાત્રે ગુપ્ત બેઠક કરી હતી. એક ફાર્મ હાઉસમાં આ બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં મધુશ્રીવાસ્તવ હાજર ન હતા. જેને લઈ રાજકારણ ગરમાયું છે. 

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ, રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

રૂપાલાએ ફરી સેન્સ લીધા હોવાની ચર્ચા  

ચૂંટણી જાહેર થતાં જ  રાજકીય હલચલો જોવા મળી રહી છે. વડોદરામાં મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુપ્ત બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી રાત્રે અચાનક વડોદરા પહોંચ્યા હતા અને એક બેઠક કરી હતી. આ બેઠક તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો તેમજ હોદ્દેદારો સાથે કરી હતી. પરંતુ નોંધ લેવા જેવી વાત એ છે કે આ બેઠકમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હાજર ન હતા. આ મિટીંગથી શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 

Madhu Srivastava is considered the Dabangg leader of Gujarat | Gujarat  assembly elections 2022 | Madhu Srivastava history | news mt Gujarat  Elections: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની

બેઠકમાં ન બોલાવાયા વાઘોડિયાના ધારાસભ્યને  

ઉમેદવારને મેદાનમાં ઉતારતા પેહલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે રૂપાલાની આ બેઠકને લઈ એવું માનવામાં આવી રહ્યું છે કે વાઘોડિયામાં પરષોત્તમ રૂપાલાએ સેન્સ લીધી છે. પરંતુ મધુશ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રખાતા તેમનું પત્તુ કપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.           



થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .