પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, તેવી ચર્ચાઓએ જોર પકડ્યુ


  • Published By :
  • Published Date : 2022-10-29 12:20:05

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણીના સમયે પાર્ટી છોડીને ગયેલા નેતાઓ પણ ઘરવાપસી કરી રાજનીતિમાં ફરી સક્રિય થવા માગે છે. હાલ જે પ્રમાણે ગુજરાતમાં રાજકારણ ચાલી રહ્યું છે તેમાં કંઈ પણ થવું અશક્ય નથી. થોડા સમય પહેલા એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. ત્યારે આવી ચર્ચાઓ ફરી એક વખત થવા લાગી છે. એવું માનવામાં આવી રહ્યું છે ગમે તે સમયે બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આ અગાઉ બાપુના પુત્રએ પણ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. 

ભાજપના વિભીષણ' શંકરસિંહ વાઘેલાની સંઘથી રાજકારણની સફર - BBC News ગુજરાતી

રઘુ શર્મા અને બાપુ વચ્ચે ચાલી રહ્યો છે બેઠકોનો દોર

ગુજરાતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે પ્રચાર કરી રહી છે તે પ્રમાણે કોંગ્રેસ જોરશોરથી પ્રચાર નથી કરી રહી. કોંગ્રેસ પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. તેવા એવી વાતો વહેતી થઈ રહી છે કે ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને કોંગ્રેસને અલવિદા કહેનાર કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ઘરવાપસી કરી શકે છે. કેન્દ્રીય નેતાઓ ભલે ગુજરાતમાં આવી કોંગ્રેસનો પ્રચાર નથી કરી રહ્યા, પરંતુ રાજ્ય સ્તરે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. એવુ માનવામાં આવી રહ્યું છે રઘુ શર્મા અને બાપુ વચ્ચે બેઠક થઈ હતી જેમાં તેમની એન્ટ્રીનો તખતો તૈયાર કરવામાં આવ્યો છે એવું મનાઈ રહ્યું છે.

Congress | New party president will have an unenviable task ahead

કોઈ પણ શરત વગર બાપુ કરી શકે છે ઘરવાપસી  

થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં સામેલ થયા છે. એવું માનવામાં આવી રહ્યું છે બાપુતો કોંગ્રેસમાં રી-એન્ટ્રી કરવા ઉતાવડા થઈ રહ્યા છે, પરંતુ હાઈકમાન્ડે આ અંગે કોઈ નિર્ણય નથી આપ્યો. રઘુ શર્મા બાપુ સાથે બેઠક કરી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કોઈ પણ શરત વગર બાપુ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેમના આગમનથી કોંગ્રેસ પાર્ટીને ઘણો ફાયદો થઈ શકે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.