Rudraprayag Accident : મુસાફરોને લઈ જઈ રહેલી ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબકી, દુર્ઘટનામાં અનેક લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-15 16:20:21

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. બદ્રીનાથ હાઈવે પર યાત્રિઓને લઈ જઈ રહેલા ટેંપો ટ્રાવેલર્સ નદીમાં ખાબકી ગઈ છે અને આ મોટી દુર્ઘટનામાં અંદાજીત 9થી 12 લોકોના મૃત્યુ થયા છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, લોકોને શોધવામાં આવી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.  આ ઘટનામાં મોતનો આંકડો વધી પણ શકે છે..

લોકોને શોધવાની થઈ રહી છે કામગીરી

ગાડી પરથી કાબુ ગુમાવવાને કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે.. અકસ્માત થવાને કારણે અનેક લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે ગંભીર અકસ્માત ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં સર્જાયો છે. અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર્સ પડી ગઈ છે જેમાં 9થી 12 જેટલા લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ વાહન દિલ્હીના યાત્રીકોને લઈને જઈ રહી હતી. આ વાહનમાં 23 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે.. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

અમિત શાહ, પુષ્કર ધામીએ શોક વ્યક્ત કર્યો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો બચાવ માટે આવી ગયા હતાં. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે, સ્થાનિક પ્રશાસનની ટીમ પણ ત્યાં પહોંચી છે. આ ઘટનાને પગલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દ્વારા પણ દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. તે સિવાય આ ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ શોક વ્યક્ત કરવમાં આવ્યો છે.  



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.