RTIમાં થયો મોટો ખુલાસો, રાજ્યસભાના સાંસદો પર બે વર્ષમાં 200 કરોડ ખર્ચાયા


  • Published By :
  • Published Date : 2023-05-22 20:10:47

દેશની તિજોરીનો મોટો હિસ્સો દેશના સાંસદો પર ખર્ચવામાં આવી રહ્યો છે. તાજેતરના RTI રિપોર્ટમાં આ વાત સામે આવી છે. RTI અનુસાર, છેલ્લા બે વર્ષમાં રાજ્યસભાના સાંસદોના પગાર, ભથ્થા અને સુવિધાઓ પર લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં લગભગ 63 કરોડ રૂપિયા આ સાંસદોની યાત્રા પાછળ જ ખર્ચવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યસભા સચિવાલયે આ માહિતી મધ્યપ્રદેશના રહેવાસી દ્વારા માહિતી અધિકાર (RTI) કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપી છે.


2021-22માં 97 કરોડ ખર્ચાયા


RTI પ્રશ્નના તેના જવાબમાં, રાજ્યસભા સચિવાલયે તે પણ માહિતી આપી છે કે કોરોનાવાયરસ મહામારી પછી વર્ષ 2021-22માં રાજ્યસભાના સભ્યો પર સરકારી ખજાનામાંથી રૂ. 97 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રકમમાં ડોમેસ્ટિક ટ્રાવેલ પર રૂ. 28.5 કરોડ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ પર રૂ. 1.28 કરોડનો સમાવેશ થાય છે. જેમાં 57.6 કરોડ રૂપિયાનો પગાર, 17 લાખ રૂપિયાના મેડિકલ બિલ અને 7.5 કરોડ રૂપિયાના ઓફિસ ખર્ચનો સમાવેશ થાય છે. સાંસદોની IT સેવાઓ પર પણ 1.2 કરોડ રૂપિયા ખર્ચાયા છે.


વર્ષ 2021-23માં 100 કરોડ ખર્ચાયા


મધ્ય પ્રદેશના રહેવાસી ચંદ્રશેખર ગૌરને માહિતી આપી કે વર્ષ 2021-23માં રાજ્ય સભા સંસદો પર કુલ 100 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ ખર્ચમાં ડોમેસ્ટિક અને વિદેશી પ્રવાસ પાછળ ખર્ચાયેલા 33 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે.  


વર્ષ 2022-23માં કેટલો ખર્ચ થયો?


રાજ્યસભા સચિવાલયે વધુમાં માહિતી આપી છે કે 2022-23 દરમિયાન સાંસદોના પગાર પર 58.5 કરોડ રૂપિયા, ઘરેલું મુસાફરી પર 30.9 કરોડ રૂપિયા અને વિદેશ પ્રવાસ પર 2.6 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ઉપરાંત, અન્ય ખર્ચમાં મેડિકલ પર રૂ. 65 લાખ, ઓફિસ ખર્ચ માટે રૂ. 7 કરોડ અને આઇટી સેવાઓ પર રૂ. 1.5 કરોડનો સમાવેશ થાય છે.


આ વર્ષે રાજ્યસભામાં કામકાજ ઘટ્યું 


2021ના રેકોર્ડ મુજબ, રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 43 ટકા, ચોમાસુ સત્રમાં 29 ટકા અને બજેટ સત્રમાં 90 ટકા કામકાજ થયું હતું. જ્યારે 2022માં શિયાળુ સત્ર દરમિયાન 94 ટકા, ચોમાસુ સત્ર દરમિયાન 42 ટકા અને બજેટ સત્ર દરમિયાન 90 ટકા કામ થયું હતું. જ્યારે આ વર્ષે અત્યાર સુધીના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભાની ઉત્પાદકતા 24 ટકાની નીચી સપાટીએ પહોંચી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.