મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય તેઓ ઘર વાપસી કરી શકે છે: RSSના નેતા હોસબાલે


  • Published By :
  • Published Date : 2023-02-02 19:50:55

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે એક મહત્વનું નિવેદન કર્યું છે. રાજસ્થનાના જયપુરમાં બિરલા ઓડિટોરિયમમાં આયોજીત દીનદયાલ સ્મૃતિ લેક્ચરમાં તેમણે કહ્યું હતું, 'ભારતમાં રહેનારા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે તમામ લોકોનાં DNA એક જ છે.'


સંઘ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માને છે


દત્તાત્રેય હોસબાલે વધુમાં કહ્યું, કે 'ભારતમાં 600થી વધુ જનજાતિઓ કહેતી હતી કે અમે અલગ છીએ, અમે હિંદુ નથી. ભારતવિરોધી શક્તિઓએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મઠ નેતા માધવરાવ ગોલવલકર 'ગુરૂજી'એ કહ્યું હતું કે તે તમામ લોકો હિંદુ છે. તેમના માટે દરવાજા બંધ નથી, કારણ કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના પર કામ કરીએ છીએ. જો કોઈએ ભય કે મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય અને કોઈ કારણસર તેઓ ધર્મપરિવર્તિત થયા હોય, તો તેમના માટે દરવાજો બંધ કરી શકાય નહીં. આજે પણ તેઓ ઘર વાપસી કરી શકે શકે છે.


ભારતને પિતૃભૂમિ માનનાર તમામ હિંદુ


દીનદયાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં હોસબાલેએ ભારપૂર્વક કહ્યું, કે 'ભારત હિંદુ રાષ્ટ્ર છે, કારણ કે આ દેશને બનાવનાર હિંદુ લોકો છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિંદુ નથી, પરંતુ વેદ પુરાણમાં એવું ક્યાંય પણ નથી કે તેમને સ્વીકારવામાં નહીં આવે. તેમણે આગળ જણાવ્યું, સત્ય અને ઉપયોગી વાતનો સ્વીકાર કરવો જોઈએ. ડો. હેડગેવાર તે વ્યાખ્યામાં ન પડ્યા કે હિંદુ કોણ છે. ભારતની ધરતીને પિતૃભૂમિ માનનાર હિંદુ છે, જેમના પૂર્વજો હિંદુ છે, તે લોકો હિંદુ છે. જે પોતાને હિંદુ માને છે, તે હિંદુ છે, જેમને આપણે હિંદુ કહીએ છીએ, તે હિંદુ છે.'



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.