મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય તેઓ ઘર વાપસી કરી શકે છે: RSSના નેતા હોસબાલે


  • Published By :
  • Published Date : 2023-02-02 19:50:55

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (RSS)ના સહ-સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે એક મહત્વનું નિવેદન કર્યું છે. રાજસ્થનાના જયપુરમાં બિરલા ઓડિટોરિયમમાં આયોજીત દીનદયાલ સ્મૃતિ લેક્ચરમાં તેમણે કહ્યું હતું, 'ભારતમાં રહેનારા તમામ લોકો હિંદુ છે, કારણ કે તેમના પૂર્વજો હિંદુ હતા. તેમની પૂજાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ તે તમામ લોકોનાં DNA એક જ છે.'


સંઘ વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માને છે


દત્તાત્રેય હોસબાલે વધુમાં કહ્યું, કે 'ભારતમાં 600થી વધુ જનજાતિઓ કહેતી હતી કે અમે અલગ છીએ, અમે હિંદુ નથી. ભારતવિરોધી શક્તિઓએ તેમને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. આ અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કર્મઠ નેતા માધવરાવ ગોલવલકર 'ગુરૂજી'એ કહ્યું હતું કે તે તમામ લોકો હિંદુ છે. તેમના માટે દરવાજા બંધ નથી, કારણ કે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના પર કામ કરીએ છીએ. જો કોઈએ ભય કે મજબૂરીમાં ગૌમાંસ ખાધું હોય અને કોઈ કારણસર તેઓ ધર્મપરિવર્તિત થયા હોય, તો તેમના માટે દરવાજો બંધ કરી શકાય નહીં. આજે પણ તેઓ ઘર વાપસી કરી શકે શકે છે.


ભારતને પિતૃભૂમિ માનનાર તમામ હિંદુ


દીનદયાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં હોસબાલેએ ભારપૂર્વક કહ્યું, કે 'ભારત હિંદુ રાષ્ટ્ર છે, કારણ કે આ દેશને બનાવનાર હિંદુ લોકો છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિંદુ નથી, પરંતુ વેદ પુરાણમાં એવું ક્યાંય પણ નથી કે તેમને સ્વીકારવામાં નહીં આવે. તેમણે આગળ જણાવ્યું, સત્ય અને ઉપયોગી વાતનો સ્વીકાર કરવો જોઈએ. ડો. હેડગેવાર તે વ્યાખ્યામાં ન પડ્યા કે હિંદુ કોણ છે. ભારતની ધરતીને પિતૃભૂમિ માનનાર હિંદુ છે, જેમના પૂર્વજો હિંદુ છે, તે લોકો હિંદુ છે. જે પોતાને હિંદુ માને છે, તે હિંદુ છે, જેમને આપણે હિંદુ કહીએ છીએ, તે હિંદુ છે.'



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.