જાતિવાદને લઈને RSS વડા મોહન ભાગવતે આપ્યું નિવેદન, કહ્યું કોઈપણ સંજોગોમાં ન છોડશો ધર્મ


  • Published By :
  • Published Date : 2023-02-06 13:22:22

જાતિવાદને લઈને RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે મારા માટે તો દરેક લોકો સમાન છે. તેમાં કોઈ જાતિ કે વર્ણ નથી. પણ પંડિતોઓ શ્રેણી બનાવી છે જે ખોટી છે. આપણા સમાજનું અલગ-અલગ વિભાજન કરી અન્યોએ લાભ ઉઠાવ્યો છે. જેને લઈ આપણા દેશ પર હુમલા થયા છે. બહારથી આવેલા લોકોએ લાભ ઉઠાવ્યો છે. 


સત્ય જ ઈશ્વર  છે - મોહન ભાગવત 

સંત શિરોમણી રોહિદાસ જયંતિના ઉપક્રમે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે જાતિવાદને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં વિવેદ, ચેતના તમામ એક જ છે. તેમાં કોઈ પ્રકારનું અંતર નથી. બસ મત અલગ અલગ છે. પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું કે શું હિંદુ સમાજ દેશમાં નાશ પામવાનો ભય દેખાય છે? આ વાત તમને કોઈ બ્રાહ્મણ નહીં કરે. આ તમારે જાતે જ સમજવાનું રહેશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યે જવાબદારી પણ હોય છે. દરેક કામ સમાજ માટે હોય છે તો કોઈ ઉંચા કે કોઈ નીચો કે અલગ કેવી રીતે થયા? સત્ય જ ઈશ્વર છે. નામ, યોગ્યતા અને સન્માન ગમે તે હોય બધા એક સમાન છે અને તેમાં કોઈ ભેદ નથી. 

 

અનેક નેતાઓએ આપી પ્રતિક્રિયા 

વધુમાં તેમણે કહ્યું કે સંત રોહિદાસ, તુલસીદાસ, કબીર, સૂરદાસ વગેરે ઉંચા હતા. એટલે જ તો તેઓ સંત શિરોમણી કહેવાય છે. સંત રોહિદાસ શાસ્ત્રાર્થમાં બ્રાહ્મણો સામે જીતી ન શક્યા. પણ તેમણે લોકોના મનમાં વસી ગયા હતા અને આ વિશ્વાસ જ ભગવાન છે. મોહન ભાગવતના આ નિવેદન પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.  

 

સંજય રાઉતની પ્રતિક્રિયા આવી સામે  

વિપક્ષે આ મુદ્દા પર મોહન ભાગવત પર નિશાન સાધ્યું છે. શિવસેના  સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો સમાજમાં એકતા રાખવા માટે અત્યંત જરૂરી છે પરંતુ સવાલ એ છે કે સમાજને તોડી કોણ રહ્યું છે. તમે લોકો જ કરી રહ્યા છો. સૌથી પહેલા આ વસ્તુ સત્તામાં બેઠેલા લોકોને સમજાવો. તે સિવાય રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ આ વાત પર પ્રતિક્રિયા આપી છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.