RBIની મહત્વની જાહેરાત: રિઝર્વ બેંક 2 હજાર રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી બદલાવી શકાશે


  • Published By :
  • Published Date : 2023-05-19 20:20:58

RBIએ બે હજારની નોટને ચલણમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સલાહ આપી છે કે તે તાત્કાલિક અસરથી 2 હજારની નોટના મૂલ્યની બેંક નોટ ગ્રાહકોને આપવાનું બંધ કરે. જો કે 2 હજારની નોટ કાનુની ચલણ તરીકે યથાવત રહેશે. મળતી જાણકારી મુજબ, ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ આ નિર્ણય લીધો છે. RBIના કહેવા પ્રમાણે આ નોટ 30 સપ્ટેમ્બર સુધી કાનુની રીતે માન્ય રહેશે. બે હજાર રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં લાવવામાં આવી હતી. તમે 23 મેથી બેંકોમાં જઈને આ નોટોને બદલાવી શકો છો. જો કે એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયા જ બદલાવી શકાશે. 2 હજારની નોટ બદલવાની આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.


RBIએ 2018-19માં પ્રિન્ટિંગ બંધ કર્યું


RBI બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ સરક્યુશનમાં લાવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ બજાર અને અર્થવ્યવસ્થા પર તેની અસર ઘટાડવા માટે તથા ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બે હજારની નોટો સરક્યુશનમાં લાવવામાં આવી હતી. બજારમાં અન્ય ચલણી નોટો પૂરતા પ્રમાણમાં આવી ગયા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ સમાપ્ત થઈ ગયો હતો. આથી 2018-19માં RBI દ્વારા રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.


હાલ કેટલી નોટ ચલણમાં છે?


ચલણમાં રહેલી 2 હજારની આ બૅન્ક નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ તેની ટોચ પર હતું. તે સમયે રૂ. 6.73 લાખ કરોડની બે હજારની નોટ સરક્યુલેશનમાં હતી. જે 31 માર્ચ, 2023ના રોજ 10.8 ટકા ઘટીને એટલે કે રૂ. 3.62 લાખ કરોડ રહી ગયું હતું. 


 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.