RBIની મહત્વની જાહેરાત: રિઝર્વ બેંક 2 હજાર રૂપિયાની નોટ પાછી ખેંચશે, 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકમાંથી બદલાવી શકાશે


  • Published By :
  • Published Date : 2023-05-19 20:20:58

RBIએ બે હજારની નોટને ચલણમાંથી પાછા ખેંચવાની જાહેરાત કરી છે.ભારતીય રિઝર્વ બેંકે દેશની તમામ બેંકોને સલાહ આપી છે કે તે તાત્કાલિક અસરથી 2 હજારની નોટના મૂલ્યની બેંક નોટ ગ્રાહકોને આપવાનું બંધ કરે. જો કે 2 હજારની નોટ કાનુની ચલણ તરીકે યથાવત રહેશે. મળતી જાણકારી મુજબ, ક્લીન નોટ પોલિસી હેઠળ RBIએ આ નિર્ણય લીધો છે. RBIના કહેવા પ્રમાણે આ નોટ 30 સપ્ટેમ્બર સુધી કાનુની રીતે માન્ય રહેશે. બે હજાર રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં લાવવામાં આવી હતી. તમે 23 મેથી બેંકોમાં જઈને આ નોટોને બદલાવી શકો છો. જો કે એક વખતમાં માત્ર 20 હજાર રૂપિયા જ બદલાવી શકાશે. 2 હજારની નોટ બદલવાની આ પ્રક્રિયા 23 મેથી શરૂ થશે અને 30 સપ્ટેમ્બર 2023ના રોજ સમાપ્ત થશે.


RBIએ 2018-19માં પ્રિન્ટિંગ બંધ કર્યું


RBI બે હજાર રૂપિયાની નોટ RBI એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ સરક્યુશનમાં લાવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ બજાર અને અર્થવ્યવસ્થા પર તેની અસર ઘટાડવા માટે તથા ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે આ બે હજારની નોટો સરક્યુશનમાં લાવવામાં આવી હતી. બજારમાં અન્ય ચલણી નોટો પૂરતા પ્રમાણમાં આવી ગયા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ સમાપ્ત થઈ ગયો હતો. આથી 2018-19માં RBI દ્વારા રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.


હાલ કેટલી નોટ ચલણમાં છે?


ચલણમાં રહેલી 2 હજારની આ બૅન્ક નોટોનું કુલ મૂલ્ય 31 માર્ચ, 2018ના રોજ તેની ટોચ પર હતું. તે સમયે રૂ. 6.73 લાખ કરોડની બે હજારની નોટ સરક્યુલેશનમાં હતી. જે 31 માર્ચ, 2023ના રોજ 10.8 ટકા ઘટીને એટલે કે રૂ. 3.62 લાખ કરોડ રહી ગયું હતું. 


 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!