લુણાવાડાના ભુવનેશ્વરી મંદિરમાં રાજવી પરિવારે કર્યું ચોસઠ જોગણી કુંભ સ્થાપન, જવારા વાવી પરિવારે નિભાવી વર્ષો જૂની પરંપરા


  • Published By :
  • Published Date : 2023-10-16 15:55:30

માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રી હોવાને કારણે માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટતી હોય છે. માતાજીના આશીર્વાદ મળે તે માટે વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ઘટ સ્થાપન કરી તેમાં જવેરાનું વાવેતર કરવામાં આવે છે. નવરાત્રીને લઈ અનેક રાજવી પરિવારો દ્વારા વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં પાંચસો ચોપન(554) વર્ષ જૂનું રાજવી પરિવારની કુળદેવીનું ભુવનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ચોસઠ જોગણી કુંભ સ્થાપન કરી જવારા વાવી અનોખી પરંપરાથી  નવરાત્રી મનાવવામાં આવે છે.   



રાજવી પરિવાર દ્વારા કરાયું જવેરાનું વાવેતર 

નવરાત્રી દરમિયાન જવેરા વાવમાં આવે છે. નવરાત્રી દરમિયાન ઘટ સ્થાપન પણ કરવામાં આવે છે. માતાજીની પૂજા અલગ અલગ દ્રવ્યોથી અલગ અલગ ઉપચારથી કરવામાં આવે છે. જવેરાનું મહત્વ વિશેષ હોય છે. જવેરાને લઈ એવી માન્યતા છે કે જવારા ભવિષ્ય સંબંધિત અનેક સંકેતો આપે છે. એવું માનવામાં આવે છે કે જવારા જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ અને સંપત્તિ વધે છે. ઘરમાં માતાજીની કૃપા આવે છે અને સમૃદ્ધિ આવે છે. ત્યારે મહીસાગરના રાજવી પરિવાર દ્વારા તેમની કુળદેવી ભુવનેશ્વરી માતાજી મંદિરમાં રાજવી પરંપરા મુજબ ચોસઠ જોગણી કુંભનું સ્થાપન કરી જવારા વાવવામાં આવ્યા છે.  



રાજમહેલનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવશે  

524 વર્ષ જૂના એવા પૌરાણીક મંદિરમાં લુણાવાડાના ચુમાલિસમાં મહારાજ શ્રી સિદ્ધરાજસિંહ દ્વારા જવારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ જવેરાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો મહીસાગર આવતા હોય છે. જવેરાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. સામાન્ય દિવસોમાં રાજમહેલમાં આવેલું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવતું હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન રાજ મહેલમાં આવેલું રાજવી પરિવારના કુળદેવીનું મંદિર નવરાત્રી દરમિયાન ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.