મની લોન્ડ્રિંગ કેસમાં મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં, ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી વધી


  • Published By :
  • Published Date : 2023-04-05 18:14:51

દિલ્હી લિકર પોલીસી કેસમાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટને ફરી ફરીથી ઝટકો મળ્યો છે. ઈડીના મની લોન્ડ્રિંગ કેસમાં કોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 17 એપ્રિલ 2023 સુધી વધારી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડ્રિંગ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ખતમ થયા બાદ તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.


મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી


મનીષ સિસોદિયાના વકીલે જામીન માટે ધારદાર દલીલો કરી હતી તેમ છતાં તેમની કોઈ દલીલ કોર્ટમાં કામ આવી શકી નહોતી. આ પહેલા પણ રાઉઝ એવન્યુ કોર્ટે જ મનીષ સિસોદિયા સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં 17 એપ્રિલ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. હવે આ બંને કેસમાં સિસોદિયા માટે 17 એપ્રિલ સુધી જેલમાં થી બહાર આવવું મુશ્કેલ છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.