શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા સડેલા ટામેટાનો ફરી વેપલો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-16 16:19:33

દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસોથી ઠીક અમિરોના રસોડામાંથી પણ ટામેટા ગાયબ થઈ ગયા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના શાકભાજી માર્કેટમાં ટામેટા 150 થી 200 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે હવે લેભાગુ તત્વો સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા પણ શાકબાજી માર્કેટમાં વેચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરતા બે વ્યક્તિ નજરે પડી રહ્યા છે. આમ શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરાઇ રહ્યા છે. આવા ટામેટા તમને ગંભીર રીતે બીમાર કરશે તેવું ચોક્કસપણે કહીં શકાય. 


વીડિયો સુરતનો હોવાની આશંકા


ટામેટાના ભાવ વધતા લેભાગુ તત્વો લોકોના આરોગ્યના દુશ્મનો સક્રિય થયા છે. ફેંકી દેવાયેલા ટામેટા ફરી તમને અપાય છે. સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા એકઠા કરી ફરી તેનું શાક માર્કેટમાં વેચાણ કરે છે. આવા ટામેટા તમને ગંભીર બીમાર કરશે તે નક્કી છે.  સુરતમાં સડેલા ટામેટા વેચાતા હોવાનો એક વીડિયોના આધારે પર્દાફાશ થયો છે. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા આ વીડિયોમાં સડેલા ટામેટા કચરામાંથી વીળીને વેચાણ કરતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. થોડાક પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ડુંગળી અને બટાકા કચરામાંથી એકઠા કરવામાં આવતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.


સસ્તા ટામેટાથી ભરમાતા નહીં


ટામેટાના ભાવ વધી રહ્યા ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો સસ્તી વસ્તુઓ શોધતાં હોય છે. આ સ્થિતીમાં ફેરિયાઓ તેનો લાભ લઇને લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર જ આ પ્રકારના ચેડાં કરતાં હોય છે. ટામેટા મોંઘા થતાં લોકોને સસ્તા ટામેટા વેચી વધુ નફો મેળવવાની લાલાચમાં અમુક તત્વો આ પ્રકારનું કૃત્ય કરતાં હોય છે. પરંતુ ચોમાસાની સાથે રોગચાળો ફેલાતો હોય છે, આવામાં લોકોએ આવી વસ્તુઓથી સાવચેત રહેવાની જરૂર છે. સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માગ ઉઠી રહી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.