રોહિત શર્માને પ્રેક્ટિસ દરમિયાન દડો વાગ્યો, થયા ઈજાગ્રસ્ત


  • Published By :
  • Published Date : 2022-11-08 19:42:02

આજે રોહિત શર્મા નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે 150 કિમીની સ્પીડથી આવતો બોલ તેમના હાથ પર લાગી ગયો હતો. બોલ હાથ પર લાગતા રોહિત શર્મા હાથ પકડીને ગ્રાઉન્ડ બહાર નીકળી ગયા હતા અને 40 મિનિટ ગ્રાઉન્ડ બહાર જ બેઠા રહ્યા હતા. જો કે 40 મિનિટ બાદ ફરીથી રોહિત પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા.

ઈજા ગંભીર નથી એટલે ચિંતા નથીઃ BCCI

ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને ઈંગલેન્ડના સેમિફાઈનલના 2 દિવસ પહેલા કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા છેBCCIએ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે ઈજા ગંભીર નથી એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી. આગામી 10 નવેમ્બરે એડિલેડમાં ભારતની ઈંગ્લેન્ડ સામે મેચ યોજાવા જઈ રહી છેBCCIના જણાવ્યા મુજબ રોહિત શર્માને મેડિકલ ટીમ તરફથી ઓકેનું સિગ્નલ મળી ગયું છે. આ ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું ફોર્મ સારું જોવા નથી મળ્યું. કારણ કે 5 લીગમાં તેમણે માત્ર 89 રન જ બનાવ્યા છે. જોકે રોહિત શર્માએ ભારતને પાંચમાંથી ચાર મેચ પણ જીતાડી છે.  

 

 

 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે