સતત વધતા રોડ અકસ્માત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં બની દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-01-07 13:54:24

અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધુ એક અકસ્માત આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રોડ અકસ્માત સર્જાયો છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. શ્રીસત્ય સાઈ જિલ્લામાં આ ઘટના બની છે. બળદગાડીમાં જઈ રહેલા બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


ધુમ્મસને કારણે અકસ્માત થયાનું અનુમાન 

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે. હાલ શિયાળાને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ હોય છે. અનેક વખત અકસ્માત પણ સર્જાતો હોય છે. ત્યારે આ ઘટના ધુમ્મસને કારણે સર્જાઈ હોય તેવો અનુમાન પોલીસ લગાવી રહી છે. 


થાંભલા સાથે અથડાઈ બાઈક

રોડ અકસ્માતનો બીજો બનાવ તેલંગાણામાં બની છે. રંગારેડ્ડીમાં આ બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. પોલીસની જાણકારી અનુસાર ખંભા સાથે અથડાતા આ અકસ્માત થયો છે. મરનાર બે લોકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે. અકસ્માતને કારણે એક જ દિવસમાં 4 લોકો મોતને ભેટ્યા છે. અકસ્માતને કારણે હજારો લોકો કાળનો કોળીયો બની રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.