તહેવાર દરમિયાન રાજ્યમાં વધ્યા રોડ અકસ્માતના કિસ્સા, અમદાવાદમાં સર્જાયા વધુ અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-26 16:48:44

દિવાળીના સમય દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે અથવા તો અનેક લોકો પોતાના વતન દિવાળી મનાવવા જતા હોય છે. દિવાળીના સમયગાળા દરમિયાન રોડ રસ્તાઓ એકદમ સુમસામ જોવા મળે છે જેને કારણે વાહન ચાલકો ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નજરે પડે છે. જેને કારણએ અકસ્માતોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસોમાં અંદાજે 1000 જેટલા અકસ્માતો સર્જાયા છે. 

અકસ્માતમાં 45 ટકા જેટલો થયો વધારો

દિનપ્રતિદિન રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગંભીર અકસ્માત થવાને કારણે ઘટના સ્થળે અનેક લોકોના મોત થતાં હોય છે. ત્યારે રાજ્ય સરકારે પણ ટ્રાફિક નિયમોમાં હળવાશ આપી છે. જેને કારણે લોકો બેફામ બની રસ્તા પર વાહન ચલાવી રહ્યા છે. દિવાળીના સમયે રસ્તાઓ પર પણ વધારે ટ્રાફિક જોવા નથી મળતો. જેને કારણે વાહનચાલકો ઓવર સ્પીડમાં વાહનો ચલાવી રહ્યા છે. ઓવર સ્પીડ હોવાને કારણે અકસ્માતનો સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના દિવસોની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 1000 જેટલા રોડ અકસ્માત થયા છે. સામાન્ય દિવસો કરતા તહેવાર દરમિયાન થતાં અકસ્માતમાં 45 ટકા જેટલો વધારો થયો છે. 


અમદાવાદમાં સર્જાયા વધુ રોડ અકસ્માત

અમદાવાદમાં સૌથી વધારે અકસ્માતોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં અંદાજીત 110, ભાવનગરમાં 32, સુરતમાં 88 તેમજ રાજકોટમાં પણ 46 જેટલા અકસ્માતો સર્જાયા છે. આ આંકડો વધી પણ શકે છે. આ આંકડાઓ 1200ને પણ પાર કરી શકે છે. માત્ર એટલું જ કહેવું છે કે આપણી મજા બીજાના માટે સજા ન બની જાય. જો પરિવારનું એક વ્યક્તિ પણ ઈજા અથવા તો મૃત્યુ પામે છે તો આખા પરિવારને સહન કરવાનો વારો આવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.