RK સ્ટુડીયો બાદ રાજ કપૂરનો બંગલો પણ વેચાયો, ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે થયો સોદો


  • Published By :
  • Published Date : 2023-02-17 17:29:07

હિન્દી ફિલ્મ જગતના ઓલટાઈમ ગ્રેટ કલાકાર સ્વ. રાજ કપૂરના આર કે સ્ટુડીયો બાદ હવે તેમનો બંગલો પણ વેચાઈ ગયો છે. ગ્રેટ શોમેન રાજ કપૂરના મુંબઈના ચેમ્બુર સ્થિત બંગલાને ગોદરેજ પ્રોપર્ટીએ ખરીદી લીધો છે. કંપની આ બંગલાની જગ્યાએ મલ્ટી સ્ટોરી ફ્લેટ્સ ઉભા કરશે. કંપનીએ આ બંગલાની ખરીદી રાજ કપૂરના વારસદારો પાસેથી ખરીદ્યો છે. 


એક એકરમાં ફેલાયેલો છે બંગલો


ગોદરેજ પ્રોપર્ટીના કાર્યકારી ચેરમેન પિરોજશા ગોદરેજે જણાવ્યું કે બંગલાની જમીનનો કુલ આકાર લગભગ એક એકર છે. આ બંગલાની જગ્યાએ કંપની રહેણાંક હેતુંથી ફ્લેટ બનાવવાની યોજના ધરાવે છે. આ સ્કિમથી કંપનીને લગભગ 500 કરોડ રૂપિયા મળવાની આશા છે. જો કે તેમણે બંગલાનો સોદો કેટલી કિંમતમાં થયો તેનો ખુલાસો કર્યો નથી. 


બંગલો પ્રાઈમ લોકેશન પર છે


જો કે તેમ છતાં પણ ચેમ્બુરમાં એક એકર જમીનની બજાર કિંમત 100થી 110 કરોડ રૂપિયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આ બંગલો પ્રાઈમ લોકેશન  ચેમ્બુર બીકેસી (બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ)થી નજીક હોવાથી એક ઉત્તમ રેસિડેન્સિયલ બજાર છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.