સરકારે સંસદમાં સ્વિકાર્યું, દેશની 279 નદીઓ 311 સ્થાનો પર અત્યંત પ્રદુષિત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:07:17

ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી નદીઓનો મહિમાગાન થતો આવ્યો છે. જો કે તાજેતરમાં કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દેશની મોટાભાગની નદીઓનું પાણી પીવા યોગ્ય નથી. આ રિપોર્ટ માટે દેશની 279 નદીઓના 311 વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે મુજબ આ નદીઓનું પાણી સરકારના માપદંડો સામે ખુબ જ ખરાબ છે. પર્યાવરણ વિભાગે આ રિપોર્ટના આધારે સંસદમાં આ જાણકારી આપી છે.


603 નદીઓના પાણીનું એનાલિસીસ


રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ દ્વારા  4484 સ્થાનો પર પાણીની ગુણવત્તા પર નજર રાખવામાં આવે છે. આ તપાસમાં 2022, 2021 અને 2019 માં 603 નદીઓના પાણીની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ દેશના તમામ રાજ્યોની તુલનામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને બિહારની નદીઓ સૌથી વધુ પ્રદુષિત છે. દેશના 11 રાજ્યો એવા છે, જ્યાં નદી ખુબ જ પ્રદુષિત છે. આ રાજ્યોમાં આસામ, બિહાર, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.