સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રિવાબા જાડેજાની તસવીરો! ફૂડ પેકેટ બનાવી મદદે તો આવ્યા પણ પેકેટ પર લગાવેલા ફોટોને કારણે ટ્રોલ થઈ ગયા!


  • Published By :
  • Published Date : 2023-06-16 16:48:03

ભાજપ દ્વારા આપત્તિને અવસરમાં બદલવાની વાતો કરવામાં આવતી હોય છે. એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ વાત નેતાઓ સાર્થક કરતા હોય છે. વાવાઝોડાના સમાચારો વચ્ચે આ વાત એટલા માટે કરાઈ રહી છે કે સોશિયલ મીડિયા પર રિવાબા જાડેજાની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવામાં આવ્યો છે. વિકટ પરિસ્થિતિમાં પણ ધારાસભ્ય જાણે પોતાનો પ્રચાર કરતા હોય તેવું લાગી રહ્યું છે. રિવાબા ફૂડ પેકેટ બનાવી સેવા કરવા ગયા પરંતુ ફોટાના મોહને કારણે ટ્રોલ થઈ રહ્યા છે.    

 પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છપાયો! 

ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું હતું. અનેક જિલ્લાઓમાં તબાહી પણ મચાવી હતી તેના દ્રશ્યો સામે આવ્યા હતા. તે ઉપરાંત NDRFની ટીમ દ્વારા કરવામાં આવેલી રેસ્ક્યુની કામગીરીના પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બચાવ માટે તંત્ર પણ સજ્જ હતું. અનેક નેતાઓને તેમજ ધારાસભ્યોને અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી હતી. અનેક ધાર્મિક સંસ્થાઓ તેમજ ધારાસભ્યો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર ફૂડ પેકેટની અનેક તસવીરો વાયરલ થઈ રહી છે. ફૂડ પેકેટ પર રિવાબા જાડેજાનો ફોટો છાપવવામાં આવ્યો છે. 

પ્રસિદ્ધીની ભુખઃ ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટ પર પોતાની તસવીરો છપાવી કર્યો પ્રચાર

વિકટ સમયે પણ નેતા કરી રહ્યા છે પ્રચાર!

નેતાઓને પોતાની પ્રસિદ્ધિ તેમજ લોકચાહનાની ભૂખ રહેતી હોય છે. પાર્ટીનો તેમજ પોતાનો પ્રચાર કરવાનો એક પણ મોકો તેઓ છોડતા નથી એવી વાતો આપણે હંમેશા કરતા હોઈએ છીએ. નેતાઓ પોતાનો પ્રચાર કરે તેનો વાંધો નહી, પરંતુ તે પેહલા પણ પરિસ્થિતિ જોવી જોઈએ. રિવાબાએ સેવા કરી તે સારી વાત છે પરંતુ ફૂડ પેકેટ પર ફોટો શા માટે રાખ્યો તે પ્રશ્ન છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાનો પ્રચાર કરવો કેટલું યોગ્ય છે? સોશિયલ મીડિયા પર જે ફોટો વાયરલ થઈ રહ્યા છે તે અંગે તમારું શું કહેવું છે?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.