દર વર્ષે 3 હજાર ભારતીયોને મળશે વીઝા, બ્રિટનના PM ઋષી સુનકે યોજનાને આપી મંજુરી


  • Published By :
  • Published Date : 2022-11-16 21:25:41

ભારતીય મૂળના બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષી સુનકે ભારતના લોકોને બ્રિટનમાં ભારતીયોનો પ્રવેશ સરળ બને તે માટે ખાસ યોજનાને મંજુરી આપી છે. આ યોજના હેઠળ 18-30 વર્ષની વયના ડિગ્રી ધારક યુવાનોને બ્રિટનમાં આવીને રહેવા અને બે વર્ષ સુધી કામ કરવા માટે દર વર્ષે ત્રણ હજાર બ્રિટિશ વિઝા આપવામાં આવશે. આ "યુવા ગતિશીલતા ભાગીદારી યોજના" પારસ્પરિક હશે, આ યોજના હેઠળ ભારતીયોને રહેતા અને કામ કરતા ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકોનો પણ સમાવેશ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે બુધવારે જી-20 સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેના થોડા કલાકો બાદ જ ઋષિ સુનકે આ યોજનાને મંજુરી આપી હતી.


MMPનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ


ભારત-બ્રિટન માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ (MMP) હેઠળ આ યોજના ગયા વર્ષે સહમતી બની ગઈ હતી અને હવે 2023ની શરૂઆતમાં ઔપચારિક રીતે તેને લોન્ચ કરવામાં આવશે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે આવી વિઝા યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.


MMP યોજના અંગે 2021માં થયા હતા કરાર


બ્રિટનનો ભારત સાથે મહત્વનો સંબંધ છે કારણ કે બ્રિટનમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ચતુર્થાસ વિદ્યાર્થીઓ ભારતના છે અને બ્રિટનમાં ભારતીયોના મૂડી રોકાણના કારણે 95,000 નોકરીઓ ઉપલબ્ધ બની છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે બ્રિટન અને ભારત વચ્ચે મે 2021 માં ઐતિહાસિક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનો હેતુ બંને દેશો વચ્ચે ગતિશીલતા વધારવાનો છે.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.