Cambridge University ખાતે આયોજીત Morari Bapuની કથાનો લાભ લીધો ઋષિ સુનકે, British PMની સાદગી તમારૂ દિલ જીતી લેશે!


  • Published By :
  • Published Date : 2023-08-16 12:25:03

હિંદુ ધર્મ ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વસ્તરે પ્રખ્યાત થયેલો ધર્મ છે. ભારતમાં તો કથાઓનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ વિદેશની ધરતી પર પણ કથાઓ આયોજીત થતી હોય છે. ગરબાનું આયોજન પણ વિદેશની ધરતી પર પણ થવા લાગ્યું છે, વિદેશમાં રહેતા ભારતીયો પણ રંગેચંગે ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભક્તો તો ઉપસ્થિત હતા પરંતુ બ્રિટનના વડાપ્રધાન અને મૂળ ભારતીય એવા ઋષિ સુનકે મોરારી બાપુની કથામાં હાજરી આપી હતી. 15 ઓગસ્ટના રોજ ઋષિ સૂનકે કથામાં હાજરી આપી હતી, વ્યાસપીઠનું પૂજન કર્યું હતું અને જય સિયા રામના નારા લગાવ્યા હતા.



કેમ્બ્રિજ યુનિવર્સિટિમાં કરાયું છે મોરારી બાપુની કથાનું આયોજન  

અનેક લોકો કહે છે કે મોરારી બાપુ દ્વારા કરવામાં આવતી રામકથાને સાંભળવાનો એક લહાવો છે. અલગ અલગ દેશોમાં મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે હમણાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કથાનું આયોજન કરવામાં આવ્યું. આ કથાનો લાભ લેવા બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સૂનક પણ કથા મંડપમાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તેમણે કહ્યું કે રામકથા સાંભળવા માટે પ્રધાનમંત્રીની હૈસિયતથી નહીં પરંતુ એક હિંદુ હોવાને નાતે આવ્યો છું. પોતાના સંબોધનની શરૂઆત જ ઋષિ સૂનકે જય સિયારામ કરીને કહી હતી. કથા સાંભળવવા આવેલા ભક્તોએ પણ જવાબમાં જય સિયારામ અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.    




વડાપ્રધાન તરીકે નહીં પણ હિંદુ તરીકે આવ્યો છું - ઋષિ સુનક

પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે “ભારતીય સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે આજે મોરારિ બાપુની રામ કથામાં અહીં હાજર રહેવું ખરેખર એક સન્માન અને આનંદની વાત છે. બાપુ, આજે હું અહીં વડાપ્રધાન તરીકે નહીં પણ એક હિન્દુ તરીકે છું! મારા માટે વિશ્વાસ ખૂબ જ વ્યક્તિગત છે. તે મને મારા જીવનના દરેક પાસામાં માર્ગદર્શન આપે છે. વડાપ્રધાન બનવું એ એક મહાન સન્માનની વાત છે, પરંતુ આ સરળ કામ નથી. અઘરા નિર્ણયો લેવાના હોય છે.” વધુમાં ઋષિ સુનકે કહ્યું કે તેમને  બ્રિટિશ હોવા પર પણ ગર્વ છે અને હિંદુ હોવા પર પણ ગર્વ છે. ઋષિ સુનકે વ્યાસપીઠની પૂજા કરી હતી.   



ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું છે . કેમ કે દક્ષિણના રાજ્યો નવા સીમાંકનનો વિરોધ કરવા એક થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે . તો બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રાજ્યોની એક પણ બેઠક ઓછી ના થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે .

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના યુવકનું અમેરિકા ગેરકાયદેસર રીતે ઘૂસવા જતાં મોત થવાના સમાચાર આવ્યા બાદમાં તાપસ કરતા જાણવા મળ્યું કે ત્રણ મહિના જેટલો સમય થયો દિલીપભાઈ પોતાના ઘરે એવું કહીને નીકળ્યા હતા કે એ ફરવા માટે અમેરિકા જાય છે બસમાં એજન્ટ જોડે સેટિંગ કરીને નિકારગુઆ થઈને અમેરિકાએ ઘુસવાનો હતો પણ પોતે ડાયાબિટીસનો પેશન્ટ હતો અને દોઢેક માસની સફર દરમિયાન ડાયાબિટીસની દવાઓના અભાવને કારણે યુવક બેહોશ થઈ કોમામાં જતો રહ્યો અને જે બાદ તેને નિકારગુઆમાં દાખલ કર્યો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું તેવી પ્રાથમિક માહિતી છે જોકે યુવક એકલો નોહ્તો ગયો એની સાથે પત્ની અને એક દીકરો પણ ગયા હતા જે નિકારગુઆમાં જ અટવાયાં છે

પીએમ મોદી ૨૦૧૫ પછી બીજી વાર મોરિશિયસના પ્રવાસે છે . આ વિદેશ પ્રવાસ ખુબ મહત્વનો છે . મોરિશિયસમાં કુલ વસ્તીના ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે . મહાત્મા ગાંધીનો મોરિશિયસ સાથે ખાસ સબંધ છે .

ઈલોન મસ્કને પોલેન્ડના વિદેશ મંત્રી સાથે થયો ઉગ્ર વિવાદ . આ ઉગ્ર વિવાદ અમેરિકા અને યુરોપ વચ્ચે શું બતાવી રહ્યો છે?