ઋષિ સુનક બ્રિટનના પીએમ બનતા વડાપ્રધાન મોદીએ કહ્યું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું


  • Published By :
  • Published Date : 2022-10-25 09:34:58

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે. ભારતીય મૂળના સુનક બ્રિટનના વડાપ્રધાન બનતા વિશ્વભરમાં વસતા ભારતીયોમાં આનંદની લહેર વ્યાપી ઉઠી હતી. ટ્વિટ કરી વડાપ્રધાન મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવ્યા હતા. દિવાળીના દિવસે જ ઋષિ સુનક વડાપ્રધાન બન્યા. 

ब्रिटेन में PM की रेस... ऋषि सुनक ने किया उम्मीदवारी का ऐलान, बताया-  इकोनॉमी में कैसे करेंगे सुधार - Rishi Sunak announced his candidature to  become the PM of Britain told how

વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું - પીએમ મોદી

પીએમ મોદીએ ઋષિ સુનકને અભિનંદન પાઠવતા કહ્યું કે ઋષિ સુનકને વડાપ્રધાન બનવા બદલ હાર્દિક શુભેચ્છા. સુનકની જીત એ દિવસે થઈ જ્યારે દુનિયાભરમાં હિંદુઓ દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે તમે યુકેના પીએમ બનતાની સાથે જ હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરીશું. અને રોડમેપ 2030ને લાગુ કરીશું. બ્રિટિશ ભારતીયોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. આપણે ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીરદારીમાં બદલ્યા છે.

 

સાંસદોનું સમર્થન મળતા સુનક પીએમ બન્યા

બ્રિટનની સંસદમાં કંઝર્વેટિવ પાર્ટીના 357 સાંસદ છે. આ જ સાંસદોએ ઑનલાઇન મતદાન કરીને નવા વડાપ્રધાનની પસંદગી કરી છે. ચૂંટણીના નવા નિયમ અનુસાર, વડાપ્રધાન બનવા માટે 100થી વધુ સાંસદોનું સમર્થન હોવું જરૂરી હોય છે. ત્યારે સુનકને 200 સાંસદોનું સમર્થન મળતા તેઓ વડાપ્રધાન બનશે.   



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.