સતત સુધારા પર ઋષભ પંતની તબિયત, પંતનો જીવ બચાવનાર વ્યક્તિઓ પંતને મળવા પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-01-03 17:07:49

શુક્રવાર સવારે ઋષભ પંતનો અકસ્માત નડ્યો હતો. ડિવાઈડર સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સુધારા પર છે. જે લોકોએ પંતની જાન બચાવી હતી તે બંને વ્યક્તિ પંતને મળવા હોસ્પિટલ મળવા આવ્યા હતા.

Rishabh Pant Mother


30 ડિસેમ્બરના રોજ થયો હતો અકસ્માત 

ઉત્તરપ્રદેશની સરહદે નારસનમાં માર્ગ અકસ્માતમાં ઋભ પંતને ગંભીર ઈજાઓ પહોંચી છે. શરીરના અનેક અંગો પર તેઓ દાઝી ગયા હતા. પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ કરવામાં આવ્યું નથી. ઋષભ પંત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઋષભ પંતને દેવદૂત બનેલા ડ્રાઈવર અને કંટક્ટર તેમને મળવા પહોંચ્યા હતા. રજત અને નીલુ ઋષભને મળવા પહોંચ્યા હતા. 


પંતની તબિયત સુધારા પર 

પંતનો અકસ્માત થતા તેમના ચાહકો પંત જલ્દી સાજા થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. અનેક અભિનેતાઓએ તેમજ ખેલાડીઓ આ વાતને લઈ દુખ વ્યક્ત કર્યું હતું ઉપરાંત તે જલ્દી સાજા તે માટે કામના પણ કરી હતી. ઋષભ પંતની તબિયત સુધરી રહી છે. 



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.