ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થઈ, ચોખાનું ઉત્પાદન 60-70 લાખ ટન ઘટશે તો ભાવ વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 18:34:09

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થવાને કારણે ચોખાના ભાવ વધી શકે છે. વાવણી ઓછી થતાં ચોખાનું ઉત્પાદન 60-7 મિલિયન ટન જેટલું ઓછું રહેવાની આશંકા છે. આવી સ્થિતિમાં પહેલેથી જ સુસ્ત અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધશે. છૂટક મોંઘવારી દર  જે ત્રણ મહિનાથી ઘટી રહ્યો છે, તે ફરીથી વધવા લાગ્યો અને ઓગસ્ટમાં 7 ટકા સુધી પહોંચ્યો છે.  કારણ કે અનાજ સહિત તમામ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો.


ચોખાના ભાવ વધવાની સંભાવના


નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે મોંઘવારી આગામી સમયમાં ઊંચા સ્તરે રહેશે. જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ વિદાય લેવાનું બાકી હોવાથી ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે. ભારતનું ચોખાનું ઉત્પાદન 2021-22ના પાક વર્ષમાં 132.29 કરોડ  ટન રહ્યું, જે એક વર્ષ અગાઉ 1243.7 કરોડ ટન હતું. ખાદ્ય મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 60-70 લાખ  ટન ઓછું રહેશે. દેશના કુલ ચોખા ઉત્પાદનમાં ખરીફ મોસમનો હિસ્સો લગભગ 85 ટકા છે.


શનિવારે નાણા મંત્રાલયના અહેવાલમાં ખરીફ સિઝનમાં ઓછા પાકના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કૃષિ કોમોડિટી સ્ટોકના કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે તેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારીના મોરચે બેચેન થવાનું ટાળવું જોઈએ. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે, “ચોખાને કારણે સ્થાનિક મોંઘવારી પર તાત્કાલિક કોઈ ખતરો નથી. કિંમતોમાં વધારો એમએસપી અને ખાતર અને ઇંધણ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો હતો.”



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે