લોકોને મોંઘવારીથી નહીં મળે રાહત, ઓગસ્ટમાં છૂટક ફૂગાવો વધીને 7 ટકા થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 20:06:10

સરકારે ઓગસ્ટ 2022ની છૂટક મોંઘવારીના આંકડા જાહેર કર્યાં છે. ગયા મહિને ઓગસ્ટમાં મોંઘવારી વધી છે. છેલ્લા મહિનામાં છૂટક મોંઘવારી વધી છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો વધીને 7 ટકા થયો હતો. અગાઉ તે જુલાઈ 2022માં 6.71 ટકા હતો. આમ, ફુગાવાનો દર સળંગ આઠમા મહિને આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. આરબીઆઈએ મોંઘવારી દર માટે 2 થી 6 ટકાનું સંતોષકારક સ્તર આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી ખુબ વધી હતી. આ રીતે જોવા જઈએ તો છૂટક મોંઘવારીમાં 0.28 પોઈન્ટનો વધારો થયો છે. 


શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા


ગયા મહિને ખાદ્ય ફુગાવો 7.62 ટકા હતો. જુલાઈ 2022માં તે 6.75 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર 13.23 ટકા રહ્યો હતો.



ખાદ્ય તેલોમાં ઘટાડો પણ અનાજમાં વધારો


ઓગસ્ટમાં ખાદ્યતેલોના સરેરાશ ભાવમાં ઘટાડો થયો હતો. સરકાર દ્વારા આયાત ડ્યૂટીમાં ઘટાડો અને વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલોના ભાવ ઘટ્યા હતા. જ્યારે કઠોળ, ચોખા અને ઘઉં જેવા મુખ્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે. રેકોર્ડ હીટવેવને કારણે આ કિંમતોમાં વધારો થયો છે. ખાદ્ય મોંઘવારી વધવા માટે આ મુખ્ય કારણોમાંનું એક હતું.


ઓગસ્ટમાં શહેરી અને ગ્રામીણ બન્નેમાં ખાદ્ય મોંઘવારી વધી 


જુલાઈમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 7.55 ટકા રહી હતી જ્યારે ઓગસ્ટ 2021માં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર 3.28 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 7.60 ટકા રહ્યો છે, જે જુલાઈમાં 6.73 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 3.08 ટકા રહી હતી.


ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ ધીમો પડ્યો


ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ જુલાઈમાં સુસ્ત રહ્યો છે. દેશમાં જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 2.4 ટકાના દરથી વધ્યો છે. એક વર્ષ પહેલા જુલાઈ 2021 દરમિયાન IIPમાં 11.5 ટકાની વૃધ્ધી થઈ હતી. નેશનલ સ્ટેટીસ્ટીકલ કમિશન (NSO) દ્વારા સોમવારે  જાહેર કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (IIP)ના આંકડાથી આ જાણકારી મળે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.