રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપ્યા બાદ આપમાં જોડાયા,વિરમગામથી હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-11-16 12:10:48

એનસીપી નેતા રેશ્મા પટેલે પોતાના પદેથી રાજીનામું આપ્યું 
આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ
વિરમગામથી હાર્દિક પટેલ સામે લડી શકે છે રેશ્મા પટેલ:સૂત્ર 

Reshma Patel quits BJP, says she will contest LS polls from Porbandar - The  Week

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી લિસ્ટ જાહેર થયા બાદ અનેક નેતાઓ પાર્ટીથી નારાજ થઈ પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી સમયે પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ગોંડલથી ઉમેદવારી નોંધાવા ગયેલા એનસીપી નેતા રેશ્મા પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા.


ગઠબંધન થવાને કારણે ન મળી ટિકિટ  

વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા એનસીપી નેતા રેશ્મા પટેલે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ત્રણ બેઠકો માટે એનસીપીની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા રેશ્મા પટેલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.


આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ

આ ઘટનાને લઈ નારાજ થયેલ એનસીપી નેતા રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ રેશ્મા પટેલે પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. પત્ર લખી રેશ્મા પટેલે કહ્યું કે એનસીપી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી તાકાતને વધારવી પડે છે જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરે પડે છે. રાજીનામું આપ્યા બાદ એવી વાતો વહેતી થઈ હતી કે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપમાં જોડાઈ વીરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!