મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:19:07

મોંઘવારીને કાબુમાં લેવા માટે રિઝર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, જો કે તેમ છતાં પણ સપ્ટેમ્બરના આંકડા જોતા રિટેલ મોંઘવારી સંતોષજનક સ્તરથી ઉપર જ રહી છે. હવે  રિઝર્વ બેંકએ કેન્દ્ર સરકારને  રિપોર્ટ  આપીને સવિસ્તાર તેનું કારણ બતાવવું પડશે. વર્ષ 2016માં નવી નાણાકિય નીતિ બન્યા પછી પહેલી વખત એવું બન્યું છે કે રિપોર્ટ દ્વારા સરકારે પોતાના પગલા અંગે સરકારને પુરી માહિતી આપવી પડશે.


RBIની રિપોર્ટ ગુપ્ત રહેશે


ઈતિહાસમાં પહેલીવાર RBI કેન્દ્ર સરકારને મોંઘવારીનું કારણ આપશે, કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંકને મળેલી જવાબદારી પ્રમાણે આરબીઆઈને રિટેલ મોંઘવારી બે ટકા વધઘટ સાથે ચાર ટકા પર જાળવી રાખવી અનિવાર્ય છે. હવે જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 7.41 ટકા પર છે ત્યારે  RBI કેન્દ્ર સરકારને રિપોર્ટ રજૂ કરી તેનું કારણ આપશે. જો કે RBIના ગવર્નર લક્ષ્મીકાંતા દાસનાં જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સંપુર્ણપણે ગુપ્ત રહેશે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.