મોંઘવારી કાબુમાં કેમ નથી આવી રહી? કેન્દ્ર સરકારે માંગ્યો RBI પાસે જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 12:19:07

મોંઘવારીને કાબુમાં લેવા માટે રિઝર્વ બેંક સતત વ્યાજ દરો વધારી રહી છે, જો કે તેમ છતાં પણ સપ્ટેમ્બરના આંકડા જોતા રિટેલ મોંઘવારી સંતોષજનક સ્તરથી ઉપર જ રહી છે. હવે  રિઝર્વ બેંકએ કેન્દ્ર સરકારને  રિપોર્ટ  આપીને સવિસ્તાર તેનું કારણ બતાવવું પડશે. વર્ષ 2016માં નવી નાણાકિય નીતિ બન્યા પછી પહેલી વખત એવું બન્યું છે કે રિપોર્ટ દ્વારા સરકારે પોતાના પગલા અંગે સરકારને પુરી માહિતી આપવી પડશે.


RBIની રિપોર્ટ ગુપ્ત રહેશે


ઈતિહાસમાં પહેલીવાર RBI કેન્દ્ર સરકારને મોંઘવારીનું કારણ આપશે, કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંકને મળેલી જવાબદારી પ્રમાણે આરબીઆઈને રિટેલ મોંઘવારી બે ટકા વધઘટ સાથે ચાર ટકા પર જાળવી રાખવી અનિવાર્ય છે. હવે જ્યારે સપ્ટેમ્બરમાં રિટેલ મોંઘવારી 7.41 ટકા પર છે ત્યારે  RBI કેન્દ્ર સરકારને રિપોર્ટ રજૂ કરી તેનું કારણ આપશે. જો કે RBIના ગવર્નર લક્ષ્મીકાંતા દાસનાં જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સંપુર્ણપણે ગુપ્ત રહેશે.    



29 જૂને ઈન્ડિયન ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યો હતો.... ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષના ICC ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદે સારી એવી બેટિંગ કરી હતી..છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે..

અમદાવાદના શેલાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ભુવો પડી ગયો છે. કોંગ્રેસે આને લઈ સરકાર પર નિશાન સાધ્યું છે.

અમદાવાદના બોપલમાં ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત થયો છે.. બંને ગાડી વચ્ચે એટલો ગંભીર અકસ્માત થયો છે કે બંને વાહનોનો કચ્ચરઘાણ નિકળી ગયો છે. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા હોવાના સમાચાર મળ્યા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.