એક અધિકારીએ જે અહેવાલ સરકારમાં મોકલ્યો છે એ વાંચીને એસી રૂમમાં પરસેવો વળવો જોઈએ


  • Published By : Admin
  • Published Date : 2023-06-25 21:16:22

આ સ્ટોરી માત્ર એ લોકો માટે છે જે એવું સમજે છે કે બાળક માત્રને શિક્ષણનો અધિકાર છે અને એને મળતા શિક્ષણમાં કોઈ પણ કક્ષાએ ચીટીંગ ના થવી જોઈએ! સરકારે ખુબ સારા આશયથી એક સિનિયર અધિકારી નામે ડૉ.ધવલ પટેલ, આઈએએસને એક કામ સોંપ્યુ, કામ હતુ છોટાઉદેપુર જિલ્લામાં જઈને શિક્ષણની પરિસ્થિતિ તપાસવાનું. અધિકારીને પણ સલામ કહેવા પડે કે માત્ર કરવા ખાતર કામ ના કરતા એ ખરેખર 6 શાળાઓની મુલાકાતે ગયા અને એમના અનુભવો પ્રાથમીક શિક્ષણના સચિવને લખીને મોકલ્યા. પણ એમણે જે જાત અનુભવો લખ્યા છે એ જોઈને આખા જિલ્લાના નાગરીકો, અધિકારીઓ, પદાધિકારીઓ, રાજ્યના અધિકારીઓ, મંત્રી અને સરકાર દરેકનું માથુ શરમથી ઝુકવુ જોઈએ. શું કામ વાંચો આગળ...


શાળા નંબર 1 - ટીમલા પ્રાથમિક શાળા, છોટાઉદેપુર

તારણ - નિમ્ન કોટીનું શિક્ષણ

બાળકો છૂટક છૂટક માંડ વાંચી શકતા હતા

એક આંકડાના સરવાળા નહોતા કરી શકતા

શિક્ષકના જવાબ સાંભળીને અધિકારીના પાટીયા બેસી ગયા




શાળા નંબર 2 - રંગપુર(ઝોઝ) પ્રાથમિક શાળા

શૈક્ષણિક રણમાં મીઠી વીરડી જેવી શાળા

ઉત્સાહી શિક્ષક પરિણામે હોંશિયાર બાળકો



શાળા નંબર 3 - બોગડામ પ્રાથમિક શાળા

શિક્ષણની સ્થિતિ અત્યંત દયનિય

અજવાળું, દિવસ જેવા શબ્દોના વિરોધી શબ્દો ના આવડ્યા

ધો.8ના છોકરાને નકશામાં ગુજરાત શોધતા ના આવડ્યું


શાળા નંબર 4 - વઢવાણ પ્રાથમિક શાળા

શિક્ષણનું સ્તર દયનિય હાલતમાં

ધો.5ના વિદ્યાર્થીઓ બાદબાકી નહોતા કરી શકતા

અધિકારીએ અહીંયા જાદૂ જોયો

બાળકોએ લીંબુ શરબત બનાવવાની આખી રીત પેપરમાં અંગ્રેજીમાં લખી

કોઈને અંગ્રેજી મથાળુ વાંચતા પણ નહોતું આવડતુ



શાળા નંબર 5 - જામલી પ્રાથમિક શાળા

નિમ્ન સ્તરનું શિક્ષણ

ધોરણ 4ની છોકરીને દાખલો ગણવાનો કહ્યો તો રડવા લાગી

દિવસનો વિરુદ્ધાર્થી ના આવડ્યો

8 ઘોડાના પગ કેટલા પુછ્યું તો છોકરો 8 વત્તા 4 કરવા માંડ્યો

સાદી સમજણનો અભાવ


શાળા નંબર 6 - રાણીખેડા પ્રાથમિક શાળા

સામાન્ય ગણિતના પ્રશ્નો ના આવડ્યા

16 વત્તા 4નો જવાબ 19 આપ્યો

પ્રશ્નપત્રમાં પુછેલા પ્રશ્નોના જવાબ ના આવડ્યા



ઉપર ગ્રાફીક્સમાં જે જોયું એ પ્રકારે શાળાના હાલ જોયા પછી આઈએએસ ડૉ.ધવલ પટેલે આગળ જે લખ્યું એ માત્ર લખાણ નથી, પીડાંની અભિવ્યક્તિ છે. એ લખે છે...



આઈએએસ અધિકારીની આંખોદેખી

મારા હૃદયને અવર્ણનિય ગ્લાનિ થઈ છે,આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઈ વિકલ્પ નથી, આપણે એમને આ પ્રકારે સડેલું શિક્ષણ આપીને અન્યાય કરી રહ્યા છીએ,તેઓ પેઢી દર પેઢી માત્ર મજૂરી જ કરે અને આગળ ના વધે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ. બાળકો અને વાલિઓ જે આપણા પર આંધળો વિશ્વાસ કરે છે એમની સાથે છળ કરવું એ અધપતનની પરાકાષ્ઠા છે, પૂરતી ભૌતિક સગવડો અને પૂરતા શિક્ષકો હોવા છતાં આવું શિક્ષણનું સ્તર કેવી રીતે એ મારા માટે ના ઉકેલી શકાય એવો કોયડો છે. 8 વર્ષ બાળક આપણી પાસે રહે અને સરવાળા-બાદબાકી ના કરી શકે એ શિક્ષક તરીકે આપણી ઘોર અસર્મથતાનું જ દ્યોતક છે


કોયડો જમાવટ ઉકેલી આપે છે!

ડૉ.ધવલ પટેલની પીડા વ્યાજબી છે, પણ એમની પાસે જે વણઉકેલાયેલો કોયડો છે એનો જવાબ અમારી પાસે છે. અમે અનેક ગામડાઓ અને સરકારી શાળાઓ ખુંદી વળ્યા છીએ. ખાસ તો આદિવાસી વિસ્તારની કરૂણતા આંખ સામે વારંવાર જોઈ છે. પીવાના પાણીથી લઈ પાયાની સુવિધા માટે આ લોકો એટલા ઝઝુમે છે કે વાલી સમજે છે કે બાળકને મજૂરીએ લઈ લઉં કે ઘરકામમાં રાખુ તો મારુ કામ સરળ થઈ જશે. બાળકને ભણાવવા માટે પહેલા વાલીને જાગૃત કરવા જરૂરી છે જે નથી થઈ રહ્યા. એની પ્રાથમિક સુવિધાઓ સૌથી પહેલા એના સુધી પહોંચવી જરૂરી છે. ખાલી કાગળ પર નહીં હકિકતે નળમાં જળ પહોંચે તો ઘરની દિકરી શાળાએ જવાના સમયે માથે બેડાં નહીં લઈ જાય. વાલીને દારૂ જેવી બદીથી દુર રખાશે તો ખાસ તો આદિવાસી બાળકો માટે આવતી હજારોની શિષ્યવૃતિ ખરેખર શિક્ષણ માટે વપરાશે. એમને શિક્ષણના આધારે રોજગારી મળશે તો વિસ્તારોમાં ઉદાહરણ પ્રસ્થાપિત થશે. કેમ કે હાલત એવી છે કે બીએ, એમએ કરેલા છોકરા ઘરે નવરા બેસે છે, બહુ ભણ્યા પછી મજૂરી નથી કરી શકતા, નોકરી મળતી નથી અને મા-બાપને માથે બોજો બને છે તો ઉંધા ઉદાહરણો સેટ થાય છે.


હવે વાત આવે છે શિક્ષકોની.

પ્રલય અને નિર્માણ શિક્ષકની ગોદમાં છે એવા સુત્રો લખી દેવાથી દરેક શિક્ષકો ચાણક્ય નથી થઈ શકતા. ચાણક્યમાં શાસકને જન્મ આપવાની ક્ષમતા છે. પણ મોટાભાગના શિક્ષકો અંતરિયાળ વિસ્તારમાં પોતાની નોકરી સજાની જેમ ગણે છે, મોટાભાગે પોતાના બાળકોને આ શિક્ષકો પોતાની શાળામાં નથી ભણાવતા. ખાસ તો છોટાઉદેપુરમાં ભણાવતા મોટા ભાગના શિક્ષકો વડોદરા કે બોડેલી જેવા શહેરી વિસ્તારમાં જ રહે છે. એ લોકો માટે ક્યારેય વિદ્યાર્થી પ્રાથમિકતા હોતા જ નથી. આગળ જતા શિક્ષક અને કલેક્ટરનો પગાર ઓલમોસ્ટ સરખો થઈ જાય છે પણ શિક્ષકો ઘણા કિસ્સાઓમાં પ્રામાણિકતામાં કાચા નિવડે છે. પુરતો પગાર અને સુવિધા મળવા છતા પોતાનું બાળક જો બિલકુલ ના ભણે કે શાળાએ ના આવે તો એની જવાબદારીમાંથી શિક્ષક ના છટકી શકે. ઘણા બધા શિક્ષકો સાવ ઓછા અભ્યાસ સાથે, અને ભણાવવા માટે સક્ષમ ના હોવા છતાં ઓળખાણ અને રૂપિયાના જોરે સિસ્ટમમાં લાગેલા છે, જે પોતે આવ્યા જ ચિટીંગથી છે એ બાળકોને પરીક્ષામાં ચોરી નહીં કરાવે તો શું કરાવવાના! ઘણા બધા શિક્ષકો એવા પણ છે જે પોતાનો સમય આપીને પણ બાળકો માટે કશુંક વિશેષ કરવાના પ્રયત્નો કરતા રહે છે અને એમને પરિણામ પણ મળે જ છે. પણ મૂળમાં તો ભરતીમાં સેટીંગ અને શિક્ષણની ઉપેક્ષા પણ આનું કારણ છે.





જવાબદારોનું માથુ શરમથી ઝુકવુ જોઈએ!

છેલ્લે વાત સરકાર અને અધિકારીઓની શરમની એટલે આવે છે કેમ કે પાણી માથા પરથી જાય છે અને તો ય હજુ વાસ્તવિકતા સ્વિકારીને સુધારવાની જગ્યાએ ઢાંકપીછોડામાંથી ઉંચા નથી આવતા. ગાંધીનગરની બહાર નીકળીને 0ટકા પરિણામ વાળી શાળાઓમાં જઈને ક્યારેય જોવાની કોશિશ કરી કે આવુ શું કામ થયું છે? જોવાનું તો છોડી દો મીડિયા શાળાની યાદી માગે તો આપવા તૈયાર નથી થતા. ક્યાંક બધા જાણી જશે તો! 


એક મરદ અધિકારીએ દર્પણ બતાવવાની કોશિશ કરી છે, અમે બતાવી બતાવીને થાક્યા પણ પ્રશ્નોને ટીકા અને ટીકાને બળવાની જેમ લેવાતું હોય ત્યાં કશું બદલાશે એવી વિશેષ અપેક્ષા રહી નહોતી પણ એ બધાની વચ્ચે પીડાં વ્યક્ત કરતો આ પત્ર અમારી આશા ફરી જન્માવે છે. આ જાણ્યા પછી જો સરકાર ખરેખર સંવેદનશીલ અને મક્કમ હશે તો વર્ષોથી જડ પડીને બેઠેલી સિસ્ટમને હલાવીને ચેતનાથી તરવરતા બાળકો માટે કશુંક કરશે અને એ કંઈક આ વિસ્તારોની પીડા દુર કરશે. 


છેલ્લે આખા પ્રદેશ અને રાજ્યના નાગરીકો માટે સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા સમર્પીત


यदि तुम्हारे घर के

एक कमरे में आग लगी हो

तो क्या तुम

दूसरे कमरे में सो सकते हो?

यदि तुम्हारे घर के एक कमरे में

लाशें सड़ रहीं हों

तो क्या तुम

दूसरे कमरे में प्रार्थना कर सकते हो?

यदि हाँ

तो मुझे तुम से

कुछ नहीं कहना है।


જો તમને આ બાળકોની સ્થિતિથી કોઈ ફરક જ નથી પડતો તો મારે તમને કશું જ નથી કહેવું


(દેવાંશી જોષી, જમાવટ)



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!