નકલી પીએસઆઈ મયૂર તડવીના રિમાન્ડ થયા મંજૂર, ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયો હતો મયૂર


  • Published By :
  • Published Date : 2023-03-02 13:20:00

થોડા દિવસો પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ મુદ્દે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. મયૂર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર કરાઈ પોલીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઈ રહ્યો હતો. છેલ્લા ઘણા સમયથી મયુર પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. આ કૌભાંડ સામે આવતા પોલીસે તપાસ આરંભી હતી. નકલી પીએસઆઈ મયૂર તડવી મામલે આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. જ્યારે આ કેસની તપાસ કરવાની જવાબદારી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આખરે મયૂર તડવીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂર કરી છે. 

  

વિધાનસભામાં ઉઠ્યો હતો આ મુદ્દો          

આ મામલો ગંભીર બનતા સરકારે સ્વીકાર્યું કે ત્રણ મહિનાથી મયૂર તડવી તાલીમ લેતો હતો. એકેડમીમાં તાલમી લઈ રહેલા 582 તાલીમાર્થીઓના ફેબ્રુઆરીનાં પગાર બિલ બન્યા ત્યારે મયૂર તડવીનું નામ પાસ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં હતું જ નહીં. આ મામલો વિધાનસભામાં પણ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ઉઠાવ્યો હતો. સત્રમાં આ અંગે ચર્ચાની માગ કરવામાં આવી હતી પરંતુ ચર્ચા ન થતા વિપક્ષે ગઈકાલે વોકઆઉટ કરી લીધું હતું. બાદમાં વિધાનસભા અધ્યક્ષે 21 જેટલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરી લીધા હતા. 


આ કૌભાંડ અંગે સરકારને ખબર જ ન હતી?

ત્યારે મયૂર તડવીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગાંધીનગર કોર્ટમાં પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને રજૂ કરાશે. મહત્વનું છે કે પોલીસની એકેડેમીમાં મયૂર ટ્રેનિંગ લઈ રહ્યો હતો છતાં પણ પોલીસને આ અંગે જાણ ન હતી. મયૂરે ન માત્ર પોલીસ એકેડેમીમાં નકલી પીએસઆઈ બની ટેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો પરંતુ સરકારી પગાર પણ મેળવી લીધો હતો. ત્યાં સુધી સરકારને આ અંગે ખબર ન પડી? જો આ સમગ્ર મામલો સામે ન આવ્યો હોત તો નકલી પીએસઆઈ બની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીએ કોઈ જગ્યા પર નોકરી પણ મેળવી લીધી હોત.           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.