લોકસભા ચૂંટણી પહેલા AAP માટે રાહતના સમાચાર! દારૂ પોલિસી કેસમાં સંજય સિંહને જામીન મળ્યા છે, આટલા સમયથી હતા જેલમાં!


  • Published By :
  • Published Date : 2024-04-02 15:54:53

આમ આદમી પાર્ટીને લોકસભા પહેલા એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને  જામીન આપી દીધા છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી તેઓ જેલમાં હતા પરંતુ આજે તેમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. મોડી રાત સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં તેમની જેલમુક્તિ થઈ શકે છે. આજે ઈડીએ તેમના જામીન પર વિરોધ પ્રદર્શિત ના કર્યો હતો.

       

સુપ્રીમ કોર્ટે સંજયસિંહના જામીન કર્યા મંજૂર 

ઈડીએ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કોર્ટ સમક્ષ અરવિંદ કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા હતા. અને અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહને ૬ મહિના પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. વાત કરીએ સંજય સિંહની તો તેમની દિલ્હીના કથિત લિકર એક્સસાઈઝ પોલિસી  કૌભાંડ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૩ના રોજ તમની ધરપકડ થઈ હતી. 6 મહિનાથી તેઓ જેલમાં હતા. ત્યારે આજે તેમના જામીનને સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. 


અરવિંદ કેજરીવાલની પણ ઈડીએ કરી ધરપકડ 

2024ના લોકસભાનું ઇલેકશનનું પ્રથમ ચરણનું વોટિંગ ૧૯ એપ્રિલે ચાલુ થશે ત્યારે એ પેહલા આમ આદમી પાર્ટીને આ ખુબ મોટી રાહત મળી છે . આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે. વાત કરીએ સત્યેન્દ્ર જૈનની તો તે મે ૨૦૨૨થી જેલમાં છે. મનીષ સીસોદીયા ફેબ્રુઆરી ૨૦૨૩થી, આપના કૉમ્યૂનિકેશન ઈન ચાર્જ વિજય નાયર નવેમ્બર ૨૦૨૨થી જેલમાં છે. મહત્વનું છે કે  આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. અગાઉ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે કેન્દ્રીય એજન્સીઓ એ આખી આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવા માંગે છે.


સંજયસિંહ રહ્યા છે અરવિંદ કેજરીવાલના સહયોગી 

વાત કરીએ સંજયસિંહની તો તેઓ ૨૦૧૮ થી દિલ્હીથી રાજ્યસભામાં સાંસદ છે . તેમની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી . તેઓ આમ આદમી પાર્ટીના પ્રવકતા અને ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાનના પ્રભારી છે . તેઓ અરવિંદ કેજરીવાલના ખુબ જુના સહયોગી છે , ૨૦૦૬ માં RTI માટેનું આંદોલન થયું ઉપરાંત ૨૦૧૧ના એન્ટી કરપ્શન મોવેમેન્ટમાં કેજરીવાલના સહયોગી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને આજે મોટી રાહત મળી છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!