Unseasonal Rainથી મળશે રાહત! આગામી દિવસોમાં Gujaratમાં થશે કડકડતી ઠંડીનો અહેસાસ, જાણો હવામાન વિભાગની આગાહી


  • Published By :
  • Published Date : 2023-12-01 09:55:14

હાલ ભલે શિયાળાની મૌસમ ચાલી રહી છે પરંતુ આગાહી વરસાદને લઈ કરવામાં આવી રહી છે. રવિવારે તેમજ સોમવારે જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિંવત છે. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. 

આ વર્ષે કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી | this year  the increas of cold will increase the meteorological department informed

ઠંડીનો અનુભવ કરવા રહેવું પડશે તૈયાર! 

શિયાળામાં ઠંડક કેટલી હશે તે અંગેના સમાચાર નથી આવતા પરંતુ કમોસમી વરસાદ ક્યાં આવશે તેના સમાચારો આવી રહ્યા છે. માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની અસર થઈ હતી. ભલે વરસાદની સંભાવના નથી પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.

Cold Wave Start In Gujarat On Today | ગુજરાતમાં કાતિલ ઠંડી: સૌથી વધુ ઠંડી  કઈ જગ્યાએ છે? માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

ડો. મનોરમા મોહન્તીએ કહ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસના હવામાનમાં કોઇ મોટો ફેરફર થવાનો નથી. તેમણે કહ્યુ કે, 'હાલ જે વરસાદ થયો હતો જેના કારણે ભેજ છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું જ્યારે સુરતમાં તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. કંડલાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. કેશોદનો પારો 15.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે.  



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .