Reliance Industryએ શેર ધારકોને આપી ભેટ, લાયક શેરધારકોના ડીમેટ ખાતામાં જમા થયા JFSLના શેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 19:12:02

આવનાર દિવસોમાં Jio Financial Service (JFSL)નું લિસ્ટિંગ થવાનું છે. હજી સુધી તારીખ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના નિવેશકોને ભેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તે રોકાણકારોના ડીમેટ ખાતામાં ગુરુવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર જમા કરવામાં આવ્યા છે જેઓ તેના માટે પાત્ર હતા. Jio Financial ના શેર 20 જુલાઈ, 2023 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા કોઈપણ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.



રિલાયન્સની સમાન સંખ્યામાં JFSLના શેર ફાળવવામાં આવ્યા છે  

જેમના ડિમેટ ખાતામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને કંપની તરફથી એક પ્રકારની ભેટ આપવામાં આવી છે. 20 જુલાઈ 2023 ડિમેટ અકાઉન્ટમાં જેટલા શેર હતા તે પ્રમાણે તેમને Jio Financial Service (JFSL)ફાળવવામાં આવ્યા છે. જેટલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જેટલા શેર હતા, તેમને JFSLના સમાન સંખ્યામાં શેર શેરધારકોને ફાળવવામાં આવ્યા છે. JFSLનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં રૂ. 273 પર સેટલ થયો હતો. જ્યારે BSE પર ભાવ રૂ. 261.85 પર સ્થિર થયો હતો. Jio Financial ના શેર ખરીદનારા રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી સ્વતંત્ર રીતે સ્ટોકનું લિસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેશે. 



આ રહેશે શેરના ભાવ 

ભલે હાલ શેર ટ્રેડરના ખાતામાં આવી ગયા છે પરંતુ શેરનું ટ્રેડિંગ જ્યારે લિસ્ટિંગ થઈ જાય તે બાદ પણ થશે જેવી જાણકારી આપવામાં આવી છે. હાલ ટ્રેડિંગ કરી શકાશે નહીં. જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે તે બાદ જ ટ્રડિંગ કરાશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 28 ઓગસ્ટ 2023ની આસપાસ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. રૂ. 273 પર Jio Finનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં સેટલ થયો હતો. જ્યારે BSE પર રૂ. 261.85ના ભાવે સેટલ થયો હતો. રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.    



JFSL 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ!

જો Jio Financial Servicesનું માર્કેટ કેપની વાત કરીએ તો  રૂ. 1,66,000 કરોડ એટલે કે 20 અબજ ડોલરથી વધુ હશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોવા જઈએ તો Jio Financial Services દેશની 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. મહત્વનું છે કે HDFC લાઇફ અને બજાજ ઓટોનું માર્કેટ કેપ પણ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ કરતા ઓછું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયેલી ફાઇનાન્શિયલ કંપની Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય 261.85 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.